SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. છતાં આ આત્માઓ તેનાથી નિર્લેપ હોય છે. દિવ્યવાણી દ્વારા જગતનું કલ્યાણ કરે છે. માનવો, દેવો, ઈન્દ્રો સૌ તેમની પૂજા કરે છે. પુણ્યાતિશયોનું સહજ પ્રગટપણું છે. તીર્થંકર નામકર્મની પ્રકૃતિનો બંધ સમકિત પ્રગટયા પછી જ થાય છે. જ્ઞાન દર્શનાવરણનો ક્ષયોપશમ થયે સામાન્ય શુદ્ધિ રહે. પૂર્ણજ્ઞાન પ્રગટે જ કૃતકૃત્ય એવા તીર્થકર નામકર્મના ઉદય થાય છે. સમક્તિ પ્રગટયા પછી આ નામકર્મધારી આત્મા ઉત્તરોત્તર આગળ વધે છે. આવા નામકર્મની પ્રાપ્તિ માટે રાત્રિદિવસ સમ્યગુ રીતે યોગોની વર્તના હોવી જોઈએ. પોતાના આત્માની શક્તિ ઉપર શ્રદ્ધા હોવી જોઈએ. તેમાં મુનિદશાનું આરાધન પૂર્વની પ્રબળપણે હોય છે. તીર્થકર નામકર્મ અત્યંતપણે જગતના જીવોની કલ્યાણની ભાવનાથી પ્રગટે છે, તેથી આ પ્રકૃતિની નિકાચના કરે છે. તે આત્મા તેને અનુરૂપ પ્રક્રિયામાં રહે છે. તેને યોગ્ય વ્રતાદિ સંયમ અને ભાવનાનો સમન્વય કરે છે. તીર્થંકરપદ ધારણ કરીને તે મહાન આત્માઓ જગતના કલ્યાણની ભાવનાએ તીર્થની એટલે શ્રાવક, શ્રાવિકા, સાધુ, સાધ્વી એવા ચતુર્વિધ સંઘરૂપ તીર્થની સ્થાપના કરે છે. તેમની પ્રથમ દેશનાને યોગ્ય ગણધર હોય છે. ગણધર શ્રુતમાર્ગની પ્રરૂપણા કરે છે. તીર્થંકરદેવની દિવ્યવાણીની ગુંથના કરે છે. તીર્થંકર પદ અતિશુદ્ધ વૈરાગ્યમય હોવા છતાં રિદ્ધિ સિદ્ધિયુક્ત હોય છે. તેના વિતરાગત્વનો સ્પર્શ થવો જોઈએ. તેનો સ્પર્શ ન થાય તો જીવો તેમની પૂજાદિ કરતાં તેમના બાહ્યરૂપને વળગી મોહિત થાય. અને ધનાદિ સંપત્તિને મેળવવા ઉપાસના કરે. વીતરાગ પ્રભુની પૂજના વીતરાગત્વ માટે જ હોય. તે જ સીધો મુક્તિનો માર્ગ છે. તે માટે પ્રથમ સમક્તિ પ્રાપ્તિને અગ્રિમતા આપી. જેથી ધર્મક્રિયા કરતાં કોઈ વક્ર માર્ગે ચઢી ન જવાય. દેવ ગુરુની મમતા કે તત્ત્વની શંકામાં પડે તોયે જીવ સમકિત મોહનીયમાં જતો રહે. દેવગુરુ ભૂલેલા જીવને માર્ગ બતાવે. પ્રત્યક્ષ ધર્મ જ્ઞાન દર્શન ચારિત્રની આરાધનામાં છે. આ ક્ષેત્રે પ્રત્યક્ષ તીર્થકર દેવનો યોગ નથી. તેથી તીર્થનો મહિમા આપ્યો. તીર્થમાં જઈએ અને તીર્થકર દેવનો સંબંધ કે સ્પર્શ ન થાય અને કેવળ બાહ્ય ક્રિયામાં પડીએ તો ફરીને આટલોયે યોગ પ્રાપ્ત ન થાય. ૨૦૦ સ્વરૂપ અવલોકન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy