SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ રુચિવાળા જીવે એવા મિથ્થા સંભાષણથી બચવું. બાહ્યાચાર કે વ્યવહારમાં ગૃહસ્થને એવા પ્રસંગ આવે તોય વિવેકપૂર્વક દૂર રહેવું. આહારદિશુદ્ધિ : મિથ્યાદષ્ટિ કે વિધર્મીની સોબતથી બાધ આવવાનો સંભવ છે. આહારાદિની ક્રિયાના સિદ્ધાંતોની સમજ ન હોવાથી શુદ્ધ ક્રિયામાં બાધ આવે છે. અને તેવી સોબતની શરમથી વૃત્તિઓ શિથિલ થાય છે. બાહ્યાચારમાં પણ એવી સોબતથી દૂર રહેવું. ધર્મઆરાધનામાં એવી શિથિલતા ચાલે નહિ. ક્રિયા શુદ્ધિ માટે આહારશુદ્ધિ અને સંયમ રાખવો ખૂબ જરૂરી છે. ઉત્કૃષ્ટ સાધક અને યોગબળવાળાને બાધક ન થાય તોપણ વિવેક તો જરૂરી છે. સાધુજનો પણ નિમિત્ત મળતાં ચળી જાય છે. તેને માટે શાસ્ત્રમાં અનેક દૃષ્ટાંતો બતાવ્યાં છે. ગૃહસ્થ તો તે અવશ્ય પાળવાનાં છે. કારણકે ગૃહસ્થજીવનમાં વધુ અનુકૂળતા હોવાથી પ્રમાદ થવા સંભવ છે. ઈદ્રિયો બળવત્તર થાય તે પહેલાં સંયમ કરવો. આહારની અસર દેહ, ઈદ્રિય અને મન પર અવશ્ય થાય છે. કેટલાક પદાર્થો વિકાર અને તમસને ઉત્તેજિત કરે છે. અને આહારમાંથી બનતાં હાડમાંસ, મજજા, લોહીમાં તેની અસર પડે છે. આમ આહારની અસર પ્રમાણે વિચારો ઊઠે છે અને પ્રેરણા મળે છે. કોઈપણ બહાના હેઠળ આહારની વિષમતા ચલાવી ન લેવાય. તેમાંથી ઊભાં થતા વિકારો અને કષાયો આત્મગુણને પ્રગટવા દેતા નથી. હિંસક પદાર્થો ખાનારનાં શરીર જ સશક્ત રહે અને લાંબુ જીવે તેવું નથી. તેમ માંસાહારી વ્યક્તિ વિકારી જ હોય તેવું પણ નથી. છતાં દેહધર્મ શક્ય તેટલી અહિંસાથી બજાવાય અને નિર્વાહ અર્થે સાત્ત્વિક આહાર લેવો જરૂરી છે. એકવારના આહારથી ચાલે તો બીજીવાર આહાર ન લેવો અથવા છેવટે સુધા હોય તેનાથી થોડા ઊણાં રહેવું. અલ્પહારમાં હિંસા તો રહેલી છે. અંતિમ મુકતાવસ્થા અનાહારક દશા છે. - કેવળજ્ઞાનીને મનાદિ યોગ હોવાથી પહેલે સમયે કર્મ બંધાય છે બીજે સમયે ભોગવાય ત્રીજે સમયે નિર્જરી મુક્ત થાય છે. એ ક્રમથી છેવટે પરમાણુ માત્રના ઋણાનુબંધ પૂરા થવા, કે તમામ કર્મરજનો નાશ કરવા કેવળી સમુદ્રઘાત કરી જગતના તમામ પરમાણુઓને સ્પર્શી કર્મ ખપાવી દે છે. પછી શૈલેશીકરણની ક્રિયા કરી અનાહારકદશાને પામે છે. સ્વરૂપ અવલોકન ૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy