SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ન હોય કે મંદ હોય તો મોક્ષનો ઉપાય તો મળે જ. નબળું કે સબળું શરીર, છોડવાનું જ છે. દેહમાંથી આત્મભાવને સંકેલી આત્મભાવમાં ઠારવાનો છે. આત્મભાવનું અત્યંતપણે સ્થિર થવું તે જ મોક્ષનો ઉપાય છે. નિશ્ચયમાર્ગના કથનથી શરીર માત્ર ફેંકી દેવા જેવું છે. અધર્મનું કારણ છે તેમ ન માનવું. આ શરીર દ્વારા જ શરીરના બંધનને દૂર કરવાનાં છે. તે માટે આત્મા શરીરના અને અન્ય સંબંધોથી દૂર રહે તેવો સંયમ માર્ગ તેનું સાધન છે. તે માટે આત્માનું લક્ષ થવું જરૂરી છે. વૃદ્ધાવસ્થામાં સંયમ પાળશું તે સમ્યક વિચારણા નથી. આપણને જેટલી પાપપકૃતિનો ઉદય છે તેટલો પુણ્યપ્રકૃતિનો ઉદય ભાગ્યે જ હોય છે. શાસ્ત્રમાં તેનો માર્ગ બતાવ્યો છે. સરળતાદિ ગુણો દ્વારા પુણ્યપ્રકૃતિ મળે છે. જૈનધર્મનો માર્ગ ભોગપરાયણ નથી. સર્વબંધનથી મુક્ત થવાનો સંયમ માર્ગ છે. પુણ્યપ્રકૃતિ આ માર્ગને સહાયક છે. તે અશુભ તત્ત્વોથી દૂર રાખે છે. દરેક જીવને પોતાની પ્રકૃતિ પ્રમાણે ઉદય કર્મ ભોગવટામાં આવે. પણ તેને દૂર કરવાનો માર્ગ એક જ છે. સાક્ષીભાવે કર્મને ભોગવી મુક્ત થવું. નામકર્મની પ્રકૃતિથી બોધ ગ્રહણ કરવો. શરીરની સુદઢતા સાત્ત્વિક ક્રિયાને સહાયક છે. શરીરની શાતા વેદનીય અનુકૂળ રહે છે. ગજસુકુમાર જેવા ઉત્કૃષ્ટ જીવો અશાતા વેદનીયના સમયે દેહભાવથી મુક્ત રહી અંતર્મુહૂર્તમાં જ્ઞાન દ્વારા સિદ્ધપદને વર્યા. માનવ શરીર મોક્ષ સાધનામાં સાધન છે તે ખરું પણ તેથી તેને સાચવવાથી હેતુ સરે નહિ. શરીરની વૃત્તિઓને સૌમ્ય રાખવાથી એક વાતાવરણ બને છે. જ્ઞાનીઓ અતિરસ વડે પ્રકૃતિઓનું બંધન થવા દેતા નથી. અને શરીરની શક્તિને વેડફતા નથી. છતાં શરીર એ પરદ્રવ્ય છે તેનો નિશ્ચય છે તેથી આખરે અનશન જેવી ક્રિયા કરી તેને ત્યજી દે છે. સામાન્ય રીતે શરીરમાં નવા પુદ્ગલો કયારે આવ્યા અને ક્યારે નીકળ્યા તેનો ખ્યાલ નથી આવતો. પરમાણુઓ પ્રવાહરૂપે બહાર નીકળે છે અને સુયોજિત રીતે આવે છે. ત્યારે આત્મા શું કરે છે? મન દ્વારા સ્થૂલ વસ્તુ જણાય છે. આપણી સામે પચાસ વસ્તુઓ પડી છે. તેમાંથી ભાવમન દ્વારા ઈદ્રિયો પોતાના વિષયો ગ્રહણ કરે છે. આમાં આત્માના ' ૧૯૩ સ્વરૂપ અવલોકન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy