SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ ધર્મ કહેવાય. જીવ પુરુષાર્થ વડે પ્રકૃતિને અધ્યાત્મમાર્ગે દોરે પછી ઈદ્રિયોની વિકૃતિ દૂર થવા લાગશે. વિચારબળ અને સ્વાધ્યાયાદિ ધ્યાન વડે જીવ પુદ્ગલકર્મોનું પરિવર્તન કરી શકે છે. મુખ્યત્વે મોહનીય કર્મ પ્રકૃતિના ઉદયથી જ્ઞાન અને દર્શન શક્તિને આવરણ આવે છે. ઉદયકાળ સમયે જીવ મધ્યસ્થ રહે તો કર્મ જડ છે, તે ટકી શકતું નથી. પોતાનાં કર્મોના ઉપાર્જન વડે આપણે પાંચમા આરામાં છેવટ્ટે સંઘયણ લઈને આવ્યા છીએ, તે પૂર્વના પુરુષાર્થની ખામી છે. છતાં અહીં વળી પાંચમાં આરાનું બહાનું લેવું છે. આ કાળમાં પણ મતિ શ્રુતજ્ઞાનની શુદ્ધ આરાધના થઈ શકે છે. અહીં ઉદ્યમ કરતો નથી તો ભાવિમાં કયાંથી કરવાનો છે ? સઘળો સુયોગ મળે તેમાં ચોથા આરાની જ ભાવના કરે અને સાધક બને તો ઉત્તમ ક્ષેત્ર પામે છે. મહાવીર ભગવાને ગૃહસ્થદશામાં શું કર્યું? દાન, કાયોત્સર્ગ, ધ્યાન જ્ઞાન વગેરે સત્ ક્રિયા કરતાં. શારીરિક ક્રિયા વગેરે જરૂર પૂરતી જ હોય. આપણે ગૃહસ્થ છીએ, વિષયોથી વિરકત થાય તે પછી ગતિ સુધરે. કંઈ પુરુષાર્થ જ ન કરું તો કર્મો પહાડ જેવાં જ લાગશે. અને પુરુષાર્થ કરે આત્મબળ અજમાવે તો સુરંગથી પહાડ તૂટે તેમ કર્મો તૂટી પડશે. ભવભીરુ થવું, એટલે પરસંગનો ભય. સુંદર સાધનો, સુદઢ, સુરૂપ શરીર જીવનને ભૂલી જવા માટે નથી. ક્ષણે ક્ષણે પ્રકૃતિને જાણવી જોઈએ. ધર્મ એ કેવળ કોઈ પ્રક્રિયા નથી, મનની અરાજકતા દૂર કરી વ્યવસ્થિત થવા માટે તે ક્રિયાઓ છે. કેવળ શરીરની સમગ્ર પ્રકૃતિ સારી મેળવવા માટે પણ પુણ્યસાધન કરવું પડે છે. વ્યવહારધર્મમાં તે ઉપયોગી છે. જેને મોક્ષસાધન કરવું છે તેણે શરીરની શુભ પ્રકૃતિ મેળવવી પડતી નથી. તેવા જીવોને તે સહજ પ્રાપ્ય છે. શરીર પાસે સાધનાનું કાર્ય લેવાનું છે. અને તેને સુદઢ બનાવવાનું છે. શક્તિને સંકોચ્યા વગર પુરુષાર્થ કરવાનો છે. ઉપરના ગુણસ્થાનકે જતાં પરિષહ કે ઉપસર્ગ જેવા પ્રસંગે જીવની શક્તિ કાર્યકારી થઈ શકે. કેવળ સુખની ભાવનાથી જીવ પ્રતિકૂળ ઉદય સમયે ટકી શકતો નથી અને કષાયના સંબંધમાં પડી જાય છે. નબળા દેહથી મોક્ષ ન મળે તે ઔપચારિક કથન છે. જો દેહભાવ ૧૯૨ Jain Education International સ્વરૂપ અવલોકન www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy