SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ થાય. આ પ્રકૃતિમાં કષાય ભળે, નોકષાય સહાય કરે. અને કર્મો ગાઢ થતાં જાય. નામકર્મ અઘાતી કર્મ હોવા છતાં તેની વિવિધ પ્રકૃતિ જોતાં વિટંબણારૂપ તો છે જ. વળી ઘાતકર્મની સાથે હોય ત્યારે તો જીવને પરવશ બનાવી દે. આ ક્ષેત્રે મનુષ્ય જન્મ મળ્યો છે તેને સાર્થક કરો : સંસારના પરિભ્રમણમાં ચારે ગતિનું મુખ્ય સ્થાન છે. એકવાર ગતિ પ્રમાણે યોનિમાં પહોંચ્યો કે બીજી પ્રકૃતિઓ ગોઠવાઈ જાય છે. ગતિમાં સુધાર થાય તેમ જીવીશું તો મુકત થવાનો અવકાશ રહેશે. કષાયરસ વધતો જ ગયો તો અનંતોકાળ તેને કારણે ગયો અને બીજો અનંતો કાળ જશે. અલ્પરસ હોય તો ઉદયમાં આવતાં પહેલા શાંત થઈ શકે. સમતા જેવા ગુણથી ઘણાં કર્મો એકી સાથે ખરી પડે છે. પરપદાર્થમાં સુખની કલ્પનાએ અભોગી એવા આત્માને ભોગી બનાવી દીધો છે. આત્માની વિભાવ દશા કેટલાયે અનર્થ કરે છે છતાં અજ્ઞાનવશ સમજ પડતી નથી. ઉચ્ચ ગતિ અને ઉચ્ચ. ક્ષેત્ર મળવાથી જીવને ધ્યેય સિદ્ધ કરવું સરળ પડે છે. મહાવિદેહ જેવા ક્ષેત્રમાં શાશ્વત ધર્મ મળે. તીર્થકર ભગવંતનો યોગ મળે. આ ક્ષેત્રે કાલિક ધર્મ મળે. સાધુસંતોનો યોગ મળે છતાં મુક્તિનું ધ્યેય રાખીએ તો ઉત્તરોત્તર ઉચ્ચશ્રેણિ પ્રાપ્ત થાય. ઉચ્ચગતિના દેવો પ્રમાદ છોડી પ્રભુના કલ્યાણકોમાં આવી આત્મભાવને ટકાવે છે. નારક જીવો અતિશય દુઃખ સહન કરી કર્મની અકામ પણ નિર્જરા કરી ગતિ ફેરવે છે. ક્ષાયિક જીવ ત્યાંય સમભાવે દુઃખ સહન કરે છે. શરીર અને મન અનેક આઘાતો સહન કરે છે. તે જો વાણીમાં વહન થાય ત્યારે વાણી આઘાત અનુભવે છે. શરીર ધૂલ હોવાથી તેના પર પડતા આઘાતો સ્પષ્ટ જણાય છે લાંબો સમય ચાલે છે. મન સૂક્ષ્મ છે અસર થાય વળી શમે. ઉત્તમ આત્માઓ શરીરના આઘાતને સુખદુઃખ રૂપે અનુભવતા નથી. શરીરની ક્રિયાને મન સાથે જોડી ન દેતાં મનને પણ ત્યાંથી દૂર રાખે છે. આમ આત્માના ચેતનગુણ અને પરના જડનું ભેદ-જ્ઞાન કરી લે છે. તેમનાં શરીર સ્વસ્થ હોય છે અને આયુષ્ય લાંબાં હોય છે. પ્રભુ મહાવીર ઉપર સંગમે કાળચક્ર મૂક્યું તેની અસર પ્રભુના શરીરને થઈ નહિ. કારણકે દેહભાવથી ઉપયોગમાં ભિન્નતા વર્તાતી હતી. આથી ૧૮૪ Jain Education International સ્વરૂપ અવલોકન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy