SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ એકેન્દ્રિયથી માંડીને મનુષ્ય સુધી દરેકને સુખદુઃખની લાગણી હોય છે. મનુષ્યનો શરીર નિર્વાહ એકેન્દ્રિ જીવોના ભોગથી ચાલે છે. જીવની જેટલી લોલુપતા તેટલી જરૂરિયાત વધુ અને તેટલી હિંસક ક્રિયા વધારે. આવા લોલુપ૫ણાથી બચવા જ્ઞાનીઓ વ્રત અને મર્યાદા આપે છે. વિજ્ઞાનીઓ પ્રયોગ દ્વારા જે સિદ્ધ કરી બતાવે છે તેમાં હિંસાત્મક પ્રયોગો હોય છે. જ્ઞાનીઓ જ્ઞાનદ્વારા તત્ત્વની પ્રરૂપણા કરે છે તેમાં હિંસા હોતી નથી. પણ રુણાભાવ હોય છે. વિજ્ઞાનીઓ અને જ્ઞાનીઓના સંશોધનમાં આવો મોટો ફરક છે. આહારાદિ ચાર સંજ્ઞામાં વિચાર શક્તિ નથી આથી જીવ દેહભાવમાં પ્રેરાયેલો રહે છે, વિચાર દ્વારા સંયમ થાય છે. કષાય અને સંજ્ઞાને સંબંધ છે. તેથી જીવ કષાયને આધીન થઈ વર્તે છે. આઠે કર્મનું અનુભવસ્થાન શાતા અશાતારૂપ વેદનીય કર્મ છે. ઘાતીકર્મોનો નાશ થતાં આ કર્મ શેષ રહે છે તે પાયઃ શાતારૂપ હોય છે. જગતના સામાન્ય જીવો સુખદુઃખના અનુભવને જ્ઞાન માને છે. ધર્મીજનો ધર્મથી સુખ મળે તેમ માને છે. જ્ઞાની સુખદુઃખ બન્નેથી મુક્ત દશાને આત્મસુખ માને છે. જ્ઞાનીજનો કહે છે કે મતિશ્રુત જ્ઞાન વડે જોતાં આ ધરતી પર પગ મૂકવાનું મન નથી થતું. જયાં જુઓ ત્યાં જીવોની હિંસા જ છે. માટે શરીરની ક્રિયાને એવી બનાવો કે જીવ હિંસા ઓછામાં ઓછી થાય. આજે યંત્રવાદની મહત્તા છે. તે ભાવિભાવ જાણીને હજારો વર્ષ પહેલાં જ્ઞાનીઓ ઉપદેશ આપતા ગયા કે મહા-આરંભ શ્રાવક ન કરે. નામકર્મ શરીરના જ બંધારણ માટે છે. કષાયરસ પ્રમાણે પુદ્ગલ પરમાણુ જીવ ગ્રહણ કરે છે. આ વર્તમાનનું શરીર તો ઘડાઈ જ ગયું છે. હવે તેના વડે જે ફેરફાર થાય તે કરવાનો છે. માનવદેહની સ્વતંત્રતાનો ઉપયોગ કરો ને કર્મનો ભાર હળવો કરી નાંખો. પ્રમાદ આવરણ લાવે છે. કર્મ એટલે જીવનો પુરાણો અવળો પુરુષાર્થ છે. પૂર્વ જીવે જ કંઈ માણ્યું છે કે ઈચ્છયું છે તે વર્તમાનમાં ઉદય આવે છે. તે ઋણાનુબંધ મધ્યસ્થભાવે પૂરા કરવા જોઈએ. વળી વર્તમાનમાં જીવ જેવો ઉપયોગ કે પરિણતિ રાખશે તેવું ભાવિ ઘડાશે. નામકર્મની પ્રત્યેક પ્રકૃતિમાં જાગૃત રહે તો પિંડ પ્રકૃતિનો સુધારો સ્વરૂપ અવલોકન Jain Education International For Private & Personal Use Only ૧૮૩ www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy