SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ મનોયોગ દ્વારા જ તેવાં ઉદયકર્મો શાંત થઈ ગયાં. ચક્રના પ્રભાવથી શરીર થોડું જમીનમાં ઊતરી પડયું પણ આઘાત ન પામ્યું, પડી ન ગયું. આત્મભાવ સહનશક્તિને સહાયક થાય છે. આવેગથી બંધાયેલી પ્રકૃતિ ઉદયમાં વેગથી આવે, તે પહેલાં જીવે સમભાવ કેળવ્યો હોય તો તે પ્રકૃત્તિ પાકા પાનની જેમ ખરી પડે. કષાય રસો મંદ પડે તો ઘણી સરળતા રહે. અને જયાં કષાયનો રસ જ નથી ત્યાં તો કાળચક્ર પણ પાછું પડે. કર્મનો કાળ પૂરો થાય તો તે પ્રકૃતિ પણ ઊભી રહેતી નથી. જીવની અજ્ઞાન દશાને કારણે તેની પરંપરા ચાલે છે. તીર્થંકર ભગવંતોની પાપ પ્રકૃતિ નાશ પામી હોય છે પણ પુણ્ય પ્રકૃતિઓના ઉદયને ભોગવવું પડે છે. પણ તેમાં નીરસતા હોય છે. એથી પૂર્વની પુણ્ય પ્રકૃતિ ફળ આપી ખસી જાય છે. તેઓ પ્રત્યે કોઈ અશુભ પ્રકૃતિ સામી વ્યક્તિમાં રહી હોય તો વ્યક્તિ દ્વેષથી વર્તીને અતિ કુકર્મ ઉત્પન્ન કરે છે. પણ ભગવંત તો કરુણામય હોવાથી અત્યંત શાંત ચિત્તે તેને સહી લે છે. આત્માને કોઈ શત્રુ નથી, મિત્ર નથી. જે સંયોગથી અધ્યવસાય મલિન થાય ત્યાંથી ખસી જવું. અને નજીક રહેવું પડે તો સમભાવે પૂરા કરવાં. દૂર ગયા પછી તે જીવો પ્રત્યે દ્વેષબુદ્ધિ ન રાખવી, સૌનું હિત ચિંતવવું. તો દૂર રહીને પણ કર્મનો સુધાર થઈ શકે. ક્ષેત્રાંતરથી ભાવના બદલાય છે, કષાય મંદ પડે છે. ગતિ વિષે : સંસારી જીવોની દ્રવ્ય ઈંદ્રિયોને અનુસરીને તેની ગતિ બતાવી. જેમકે એકેન્દ્રિાયાદિ. તે પ્રમાણે ભાવ ઈન્દ્રિયો હોય. શરીરના સંસ્થાન અને કાળને અનુસરીને બળમાં મંદ તીવ્રપણું હોય છે. આ કાળે કષાયો અતિ તીવ્રતમ થતા ન હોવાથી સાતમી નારકી સુધીનું ગમન પણ થતું નથી. તેવી રીતે જીવ નિયમથી મુક્ત થઈ શકે તેવી યોગ્ય શક્તિ પણ નથી. વળી ઉત્કૃષ્ટ દેવગતિ પણ પ્રાપ્ત થતી નથી. કર્મપ્રકૃતિ આઠે બંધાય અને ભોગવાય, પણ રસ પ્રમાણે ફરક રહે. જેમ લાકડાનો, છાણાનો કે તૃણ અગ્નિ હોય તે પ્રમાણે ગરમીમાં તીવ્રતા મંદતા રહે છે તેમ કષાયોના રસ પ્રમાણે કર્મની તીવ્રતા-મંદતા રહે છે. ગતિ સંસ્કારને અનુસરે છે. શુભ સંસ્કારથી શુભ અને અશુભ સંસ્કારથી અશુભ અને નિકાચિત કર્મબંધ થાય છે, અને તેને યોગ્ય ગતિમાં સ્વરૂપ અવલોકન Jain Education International For Private & Personal Use Only ૧૮૫ www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy