SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ બંધન થતું નથી. મનુષ્યમાં મધ્યમતા છે. ઉપરના દેવલોકમાં સુખ છે. અધોગતિમાં દુઃખના અંગારામાં જીવન વીતે છે. તિર્યંચમાં પરાધીનતા છે. કોઈપણ ગતિમાં મિથ્યાભાવે થયેલું આયુબંધને મિથ્યાભાવે ભોગવે, સમ્યગુભાવે હોય તો સમ્યગુભાવે ભોગવે, ક્ષયોપશમ હોય તો મિથ્યાભાવમાં જાય. ક્ષાયિક સમકિતી સમ્યફભાવે ભોગવે. શુભભાવથી કરેલી ધર્મઆરાધના મંદ કષાયને કારણે દેવાયુમાં લઈ જાય. ત્યાં સંયમનું સુખ નથી, એટલે એ સુખ પછી પણ ભવભ્રમણ ઊભું છે. મોક્ષનો હેતુ સ્પષ્ટ હોય તો સુખ દુઃખદાયક લાગે. કોઈ વિષમ પરિણામે તિર્યંચનું આયુ બાંધી લે તો તે ગતિમાં પણ સંસ્કારબળે જાતિસ્મરણ જેવું જ્ઞાન મેળવી સંયમને આરાધે અને મનુષ્યગતિમાં જાય. કોઈપણ ગતિમાં કષાયનો રસ મંદ થાય એટલે મનુષ્યગતિની યોગ્યતા થાય. મનુષ્યગતિમાં મુક્તિને અનુરૂપ જીવન ગાળે તો તેવી યોગ્યતા પ્રાપ્ત થાય. અને નિયાણું કરે તો તેવાં સ્થાન પ્રાપ્ત થાય. મનુષ્પાયુ મધ્યમ ગણાય છે છતાં મુકિતનું મહાન કાર્ય આ દેહે થાય છે. મનુષ્યાય સાથે જાતિ, ક્ષેત્ર ઉત્તમ હોય તો સરળતા રહે છે. કેવળ મનુષ્યાકાર પામીને રાજી થવાનું નથી. મનુષ્યને કરવા લાયક ઘણાં કાર્યો હોય છે. પરંતુ મુખ્ય ધર્મકાર્ય મુક્તિ માટેનું છે. દેવાયુનો કાળ દીધું છે. સુખ ભોગ છે, પણ સાધનાનો સુયોગ નથી. અને પુદ્ગલભાવ વધી પડે છે. તેથી દેવાયુ શુભ હોવા છતાં અશુભમાં પરિણમે છે. ક્ષાયિક સમકિતી માટે અનુત્તર વિમાનવાસીનું દેવાયુ અંતિમ ભવ છે, છતાં લાંબો કાળ નિર્ગમન કરવો પડે છે. કદાચ અધોગતિમાં હોય તોય સમભાવે મહાન નિર્જરા કરે છે. નરકાયુ દુઃખમય છે. મિથ્થામતિ ત્યાં અત્યંત દુઃખ પામે છે. પરંતુ સમકિતી આત્માઓ અનેક જીવનમાં જે કર્મો ન ખપ્યાં હોય તે ત્યાં ખપાવી નાંખે છે. એવા જીવો અલ્પ સંખ્યામાં હોય છે. મનુષ્ય જીવન એજ ઉદયકાળ છે. કર્મોને નિયમિતપણે ઉકેલી શકાય છે. અને ઉદીરણા કરવાની શક્તિવાળો આત્મા અનેક જીવનનાં કાર્યો એક જીવનમાં કરી લે છે. વ્યવહારથી એમ કહેવાય કે આ આયુ ઉત્તમ કે હલકું, તેના બંધનનો કાળ એક સમયથી માંડીને બે ઘડીનો છે. તેમાં સમવિષમ કર્મોનો સમાવેશ થાય છે. તેથી પળે પળે જાગૃતિ અને શુદ્ધ ઉપયોગનો ઉપદેશ આપ્યો છે. છતાં પ્રમાદવશ આત્માને સ્વરૂપ અવલોકન ૧૭૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy