SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ એક જ વાર અંતર્મુહૂર્તમાં બંધાઈ જાય છે. તે માટે જ્ઞાન અને ચારિત્રમય જીવનની આવશ્યકતા છે. અનુભવમય જીવન તે જ્ઞાન છે. જીવનનો અંતિમકાળ નજીક આવે જીવ મૂંઝાય અને કેટલાક નિયમો લે. અંતરમોહ ન છૂટે તો એ નિયમો કાર્યકારી થતા નથી. નવકારમંત્રના શ્રવણથી સર્પ ધરણેદ્રદેવ થયો. આપણે મનુષ્ય છીએ નવકારમંત્ર સાંભળવાની સમર્પણ શક્તિ ધરાવતા નથી. સર્પને તો પ્રભુ પ્રત્યે મહા અહોભાવ પ્રગટ થયો. વેદનામાં પણ સમ્યક્ભાવે નવકારમંત્રનું સ્મરણ કર્યું. એકબાજુ દેહભાવ અથવા મૂર્છિત અવસ્થા હોય અને બીજીબાજુ નવકારમંત્રનો ઉચ્ચાર થતો હોય છે. જયારે સર્પને દર્શનાવરણ હતું છતાં સાક્ષાત પ્રભુનું નિમિત્ત મળતાં દૃષ્ટિ ખુલી ગઈ ને સંયમી બની દેવપણું પામ્યો. આયુબંધ ૨સ પ્રમાણે પડે છે. ચારિત્ર મોહનીય ખાસ કરીને દુર્ગતિ દાયક છે. શુદ્ધ ચારિત્ર અગતિદાયક છે. સંજવલન અતિ મંદ કષાય છે તે ભાવમાં આયુકર્મ દેવગતિનું પડે. ચઢતા ઉતરતા પરિણામમાં અનંતાનુબંધીનો રસ હોય ત્યારે આયુબંધ થાય. તે સમયે અઘાતી, ઘાતી કર્મોની પ્રકૃતિ સાથે હોય. અનશન જેવા કાળમાં પણ શુભભાવનો મોહ રહ્યો તો દેવાયુ બંધાય. લોભ અને ક્રોધવશ બંધ પડે તો નરકાયુનો બંધ થાય. માયાની પ્રકૃતિ તિર્યંચ ગતિમાં લઈ જાય છે. સંયમી અને સમતાવાળો જીવ મનુષ્યાયુ બાંધે છે. સરળ જીવો દેવાયુ બાંધે છે. શુભભાવ એ નિશ્ચયના હેતુએ બાળભાવ છે. શુભપુદ્ગલો મેળવવાની ભાવનાથી ધર્મ કરે તો દેવગતિ પામે. તેવો ધર્મ કરતાં અનંતકાળ જાય તોય સંસાર છૂટે નહિ. સંયમી જીવો કયાંય વિસામો લેવા ખાતર દેવાયુ બાંધી લે છે. ઉત્કટ વૈરાગ્ય હોય. પુરુષાર્થ હોય છતાં દ્રવ્ય ક્ષેત્રાદિની પૂર્ણ સામગ્રીના અભાવે કે કાળ ખૂટે આવો વિસામો વચમાં થઈ જાય છે. તેમાં અનુત્તરવાસી દેવનું સ્થાન પ્રાયઃ હોય છે. બંધ સમયે ચેતો : આયુષ્યકર્મ એ એક જન્મની જોખમદારી છે. આયુષ્યબંધની તૈયારી શુભાશુભ બંને રીતે થાય છે. અસત્ કર્મ કરનાર જીવ સુધારણા કરે તો આયુષ્યનો શુભબંધ પડવા સંભવ છે. છતાં અસત્ પળોમાં બંધ પડયો હોય તો અશુભગતિ મળે પણ પાછળથી સત્ સુધારણા થઈ હોય તો તે અશુભ ગતિમાં સુધારણા થઈ શકે. સુખ કે દુઃખનું એકાંતે ૧૭૮ Jain Education International For Private & Personal Use Only સ્વરૂપ અવલોકન www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy