SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ નામકર્મ ઉત્તમ અને નિર્દોષ છે. તેવા નામકર્મ મેળવવા ઘાતીકર્મનો નાશ કરવો પડે. ઉત્તરોત્તર ઉત્તમ માનવજન્મ પામવો જોઈએ. જગતમાં નામની પ્રતિષ્ઠા માટે સૌ શક્તિ વેડફે છે. સમકિતીને યશનામ કર્મ હોય છે. તેનો સંસાર વધે નહિ, આત્મસુધારણા થાય. મનુષ્યગતિમાં ધર્મપ્રિય માણસને માનવ ગણ્યો. સમમિકતી તથા ઉપરના દેવોની ગતિ ઉત્તમ ગણી. જેમાં કંઈ પણ ધર્મનું અનુસંધાન રહે. આજે તો ધર્મ કરતાં આગળ વધવાને બદલે ધર્મમાં અનુકૂળતાએ સ્થાન લીધું. તિર્યંચ શરીર મળીને દુઃખ છે. અને નારકીમાં તો દુઃખ જ દુઃખ છે. ત્યાં જ્ઞાનગુણ ઢંકાઈ જાય છે. મનુષ્યગતિ માટે વિશિષ્ટ સરળતા જોઈએ. દ્રવ્ય, ક્ષેત્ર, ઉચ્ચકુળ અને ભવ આ ચાર કારણોનો યોગ પામી મનુષ્યને શું લાભ છે ? જયારે એ ચારે કારણો સાથે ઉપયોગમાં શુદ્ધ રીતે સંબંધમાં હોય ત્યારે સફળતા છે. ધર્મશાસ્ત્રોમાં ધર્મની મર્યાદા રહી છે. જીવનનો ઉપયોગ તેમાં પ્રવર્તે ત્યારે શાસ્ત્રો ભાવશ્રુતરૂપે પરિણમે. જેનો ઉપયોગ પુદ્ગલ સાથે ભળતો નથી. રસ રૂપાદિ સાથે આકર્ષાતો નથી. જેને તેનાથી ભોગનું સુખ ઈચ્છયું નથી, તે મનુષ્યનું આયુ બાંધનાર જીવ ગણતરીના ભવમાં સફળ થાય છે. આયુ ને ગતિ સાથે છે, મતિ અને ગતિ કાર્ય કારણરૂપે હોય છે. મુક્તિ સહજ પ્રગટે તેવું આયુ બાંધવું. નાગકેતુ આગળના ભવના આયુ બંધ સમયે પ્રતિકૂળ સ્થાન અને સંયોગમાં હતો. પરંતુ ભાવ નિર્દોષ વ્રતનો હતો. અક્રમનો સંકલ્પ નિમિત્ત હતું. આપણે તે પ્રસંગને કેવળ અટ્ટમનો પ્રભાવ માની લઈએ છીએ. વિષમ પરિસ્થિતિમાં પણ તેણે ભાવને દઢતાથી પકડી રાખ્યો. તે ભાવ સંસ્કારરૂપ બની આગામી જન્મ સાથે ઉદયમાં આવ્યો. અને જન્મતાંની સાથે અઠ્ઠમ તપની આરાધના થઈ. દેહ તો એક બે દિવસનો હતો. આત્માનો સંસ્કાર પુરાણો હતો. સંકલ્પની શક્તિમાં આત્માની નિત્યતા છે. ત્યાં પુદ્ગલ ગૌણ રહે છે. તેથી જન્મતાંની સાથે અઠ્ઠમ તપ ઉદય પામ્યું. પ્રયત્નશીલ આત્મા ઉપયોગપૂર્વક જીવે અને આયુબંધ પડે તો આગામી જન્મમાં તેવાં સાધનો મળે. દેવગુરુ મુક્તિ આપી દેતા નથી. તે માર્ગે કેમ જવાય તે શિખવાડે છે. પણ બુદ્ધિ ઉતાવળી થાય છે કે કોઈ તારી દેશે. જીવન એટલે કર્તવ્ય અને ફળની સમતુલા, આયુકર્મ જીવન દરમ્યાન સ્વરૂપ અવલોકન Jain Education International For Private & Personal Use Only ૧૭૭ www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy