SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ જાય ત્યાં સમ્યગુદૃષ્ટિ ન હોવાથી વિર્ભાગજ્ઞાન હોય અને વ્યંતર જેવી ગતિમાં જઈ દ્વેષ અને સ્પર્ધાથી કાળ નિર્ગમન કરે, છેવટે તિર્યંચગતિ પામે. મોટે ભાગે જીવો આહારાદિ સંજ્ઞામાં પડયા રહે છે. કોઈવાર થોડી જાગૃતિમાં રહે પણ પ્રાયઃ સંજ્ઞાના બળે જ જીવન વ્યતીત કરેઅજ્ઞાન અને કષાયથી પર વસ્તુમાં આકર્ષાયેલો રહે. હું ધર્મ કરું છું તેમ પણ માને, મારે હવે કંઈ કરવા જેવું નથી તેમ માને, આયુષ્યકર્મની ચિંતા ના કરે. પાછળની વયમાં તીર્થયાસ કરીશ, નિવૃત્ત થઈશ, ધર્મ કરીશ, તેમ માને પણ તેમ થવું દુર્લભ છે. આપણે ઈચ્છીએ કે નહિ, આપણે જાણીએ કે નહિ પણ દરેક જીવની માનસિક ક્રિયા ચાલુ હોય છે. તે ક્રિયા સાથે કર્મ તો લાગે જ છે. વળી કોઈ જીવ એવું પણ ઈચ્છે કે આ પંચમકાળ દુઃસહ છે. તપાદિ કરી દેવગતિમાં જઈએ તો દુ:ખનો કાળ પૂરો થઈ જાય. અને તીર્થક્રના સમયમાં જન્મ થશે તો ત્યારે મુક્તિ ધર્મ આરાધશે. અનંતકાળમાં એવો સમય મળવા છતાં આજના આપણા જન્મ પરથી એમ લાગે છે કે જે કંઈ કરવાનું હતું તે બાકી રહી ગયું છે. જીવન એટલે શું? જીવવું એટલે શું ? ક્ષણે ક્ષણે બંધ પડે છે. જીવને આજે આ વિષયમાં રસ પડે છે તો કાલે બીજા વિષયમાં રસ પડે છે. જો પરભવ જોઈતો નથી તો એક ક્ષણ પણ પ્રમાદી ન બન. પરભવને અવકાશ જ ન આપવો. વિતરાગી જીવો દરેક વિષયના જ્ઞાતા હોવા છતાં કેવા અપ્રમાદી હોય છે. પરભવનો આટલો મોટો ભય છતાં આપણે નિરાંતે ફરીએ, સૂઈએ, ખાઈએ, પીએ અને તેમાં અનુકૂળતા ન મળે તો દુઃખ થાય. બીજા ભવના બંધન ન જોઈએ તે માટે પ્રભુ મહાવીર સાડા બાર વર્ષ મૌન અને અનિદ્રામાં રહ્યા. કઠિન તપ કર્યું. અને જગતના જીવોનું કલ્યાણ કર્યું. લોકો ભયભીત થાય તેવી એકાંત જગાએ તેઓ સુખપૂર્વક જાગૃત દશામાં રાત્રિ ગાળતા. આ વિષે ગહન વિચારણા કરશું તોજ આપણું પરિવર્તન થશે. પરદ્રવ્યની સુધારણામાં, રક્ષણ કરવામાં, આત્માનું કંઈ કલ્યાણ નથી. કેવળ આત્માને આરાધવો અને આત્માર્થ સેવવો. જગતમાં લોકોને નામ બહુ પ્રિય છે. તીર્થકર નામ ઉત્કૃષ્ટ નામકર્મ છે. એ નામ દેહ જાય તો ય અમર રહે છે. તે પછી શરીર ધારણ કરવું પડતું નથી. ગણધરાદિના ૧૭૬ સ્વરૂપ અવલોકન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy