SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાની જ જાગૃત રહી શકે. અને અંતિમ ઘડીએ પણ સભાનતા સહિત સર્વ જીવને ખમાવી અંતરમાં અરિહંતાદિનું શરણ ગ્રહણ કરી લે. અશુભ આયુષ્યકર્મથી મુક્ત થવું હોય તેણે આ વિચારણા કરવાની છે. મનુષ્યગતિમાં દુઃખ સહન નથી થતાં અને સમતા રહેતી નથી, તો નરક જેવા ક્ષેત્રે અપધ્યાન થઈ કર્મની પરંપરા ચાલુ રહેશે. મનુષ્ય પચાસ સાઠ વર્ષ ગૃહસ્થજીવન ગાળે, તેમાં સમયસર વિચારે કે હજી મારું સદ્ભાગ્ય છેકે મને સર્વ સામગ્રી મળી છે. તો આત્મકલ્યાણ કરી લઉં. અને વ્રતી થઈ સાધુતા પ્રત્યે રુચિ રાખે. કષાયવૃત્તિને મંદ કરે. જો આયુષ્યનો બંધ ન પડયો હોય તો સુધારો કરી શકે, અને બંધ પડયો હોય તો ય પછી જીવનમાં આરાધનનો યોગ મળે. જોકે વૃદ્ધાવસ્થામાં યોગોની શિથિલતા હોય તેથી ધાર્યું કાર્ય સાધ્ય ન થાય. યૌવન તો સંસારના કાર્યમાં પૂરું થતું હોય. તે કાળે ભોગને ગૌણ કરી જો આત્મરુચિ થાય તો આત્મ કલ્યાણ શીઘ્રગતિથી થાય. સૌને શુભગતિ જોઈએ છે. લૌકિક વ્યવહારમાં તો ગતઆત્માને સ્વર્ગસ્થ આત્મા કહેવામાં આવે છે. પણ તેવી શુભ ગતિ થાય તેવાં કાર્યો જીવ કરતો નથી. જો કે દેવગતિમાં આત્મવિસ્મૃતિનાં ઘણાં ભયસ્થાનો છે. અને લાંબો કાળ પસાર કરવાનો છે. મનુષ્ય ગતિમાં સુખદુઃખનો ક્રમ હોય છે. છતાં મુક્તિનું દ્વાર હોવાથી ઉત્તમ ગતિ કહી છે. ધર્મી દેવલોકની સ્પૃહા નથી કરતો. ઉત્તમ ગતિની ચિંતાવાળો જીવ ધર્મી કહેવાય. સરળતા અને આત્માર્થની ઈચ્છાવાળો (સમકિતી નથી) મનુષ્યના આયુષ્યનો અધિકારી છે. દાનાદિભાવવાળો દેવાયુની ગતિનો અધિકારી છે. હિંસાદિ ક્રૂર કર્મવાળો નરકાયુષ બાંધે છે. ધર્મની ક્રિયામાં પણ જે સુખની લાલસા અને માયા કપટાદિ આચરે છે તે તિર્યંચનું આયુષ્ય બાંધે છે. આત્મા સુખ ઈચ્છે છે પણ સુખ મળે તેવી ક્રિયામાં બેદરકાર રહે છે. મનુષ્યગતિથી પાછી મનુષ્ય ગતિ મળે અને આત્મ કલ્યાણ કરી શકે તે માટે માનવે આત્મિક ભાવે સર્વ કાર્ય કરવાં પડે. તેને સંસારનાં સુખ મળશે તો પણ તેને લોલુપતા નહિ હોય. મંદ પરિણતિ હોય. ચારિત્ર ઉજ્જવળ હોય. સાધુતાના ગુણો હોય તેવું માનવજીવન જીવવું. કેવળ અંધશ્રદ્ધા અને ફળની અપેક્ષાએ, કઠિન તપ કરીને દેવગતિમાં સ્વરૂપ અવલોકન Jain Education International For Private & Personal Use Only ૧૭૫ www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy