SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ તપ, પ્રતિક્રમણ, સામાયિક કે પૂજા વગેરે આત્માર્થે થાય તો જ મુક્તિને આપનારા બને છે. મન, વચન ને કાયાના આરંભનો સંયમ થશે તો તે તે ઈદ્રિયના વિષયોની મંદતા થશે. તેવી દશામાં આત્મવિચારણાની સંકલના કરી પોતાનાં કાર્યોને એક ચિત્તે નિહાળવાં. જયાંથી વિરમવા જેવું લાગે ત્યાં દેઢ નિર્ધાર કરી ત્યજવા જેવાં કાર્યોને ત્યજી દેવાં અને ચિત્તમાં શુદ્ધભાવે એકાગ્ર થવું. જેથી કર્મસમૂહ શાંત થશે. જયારે ઈદ્રિયો પોતાના વિષયમાં ઉત્તેજિત ન હોય ત્યારે તેમનો લાભ લઈ સંયમમાં મનની સંકલના કરી આદરેલા વ્રત ઈત્યાદિમાં દઢતા રાખવી. સંસારના દુઃખ અને સંતાપથી કંટાળી જીવ એમ વિચારે કે મને હવે કોઈ અશુભ પ્રસંગ કે વિચાર ન આવે. પણ એવું બનતું નથી. શૂન્યવત બેસી રહેવું તે એકાગ્રતા નથી. કોઈ વિચારે કે કશું કર્તવ્ય કરવું નહિ જેથી કર્મ ન બંધાય. પણ માનસિક ક્રિયા જ એવી છે કે તે ઈચ્છા અનિચ્છાએ ચાલ્યા જ કરે છે. તેમાં જે રાગદ્વેષની પરિણતિ છે, તેજ બંધનું કારણ છે. જડવત્ બેસી રહેવાથી મુક્ત ન થવાય તો તો બધા જડ પદાર્થો મોક્ષગામી જ કહેવાય. સમભાવી જીવ કર્મના ઉદયકાળે નિર્લેપભાવે કર્મને વેદે છે. વર્તમાનમાં આત્મા પર્યાયે મલિન છે, કર્મથી બંધાયેલો છે. પરંતુ હવે કર્યભાર ન વધે તે માટે પોતાના દોષભાવને નિહાળી તે તરફની વૃત્તિને શાંત કરવાનો નિર્ણય કરવો જોઈએ. પરિણતિ ફરે તો ભ્રમણ ટળે. બાહા શુદ્ધાચાર અને ક્રિયા તે બાહ્યયોગ છે. તેની સહાયથી આંતરયોગને સાધી શકાય છે. ઈદ્રિયો દ્વારા થતી ક્રિયાઓને ગૌણ કરી મનને આત્મા પ્રત્યે વાળવું જોઈએ. ઈદ્રિય વિષયોથી પાછું વળેલું મન આત્મચિંતન તરફ વળશે. તો જ આત્માર્થ પ્રગટશે. આત્માની શુદ્ધ જ્ઞાનગુણદશા તે ઈશ્વરરૂપશુદ્ધ તત્ત્વ છે. જગતનું કર્તાપણું તે ઈશ્વરનું શુદ્ધ સ્વરૂપ નથી. ઈશ્વર કોઈને તારી દેશે તેવી ભ્રાંતિમાં ન પડવું. સદ્ગુરુગમે આગમોના આધારે પોતાના શુદ્ધ સ્વભાવનું આલંબન નિરાલંબનને પ્રગટ કરે છે. આ કાળે એવી દશાના સંયોગની કઠિનતા છે મુનિજનોને પણ દુર્લભ છે. છતાં ધ્યેય તો તેવી દશાનું જ રાખવું. કર્મના બંધન વડે સંસાર છે. માટે કર્મના રહસ્યને જાણવાની જીવને આવશ્યકતા છે. કષાયોને કારણે જડ પુદ્ગલો કર્મરૂપે પરિણમી જીવની સ્વરૂપ અવલોકન ૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy