SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષણે ઉપયોગ રાખી કર્મના રસને મંદ કરતો જા. જેથી આહારાદિ જેવી ક્રિયા પણ આત્મગુણને પ્રગટાવવા સહાયક બને. આહાર જેવી ક્રિયામાં અસાવધ રહેવાથી રસાસ્વાદની વૃત્તિને કારણે જીવ કર્મબંધનમાં ન પડે, કેવળ દેહના નિર્વાહ માટે જ તેનો ઉપયોગ છે, તેમ સાક્ષીભાવે રહે. અનાદિથી આત્માના શુદ્ધ ઉપયોગમાં અંતરાયને કારણે જીવ પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે. અને તેથી તેની પ્રાપ્તિ દુષ્કર લાગે છે. ઈદ્રિય વિષયોમાંથી ભાવમનને દૂર રાખી ઉપયોગને આત્માપણે સ્થિર રાખે તો રસ વૃત્તિ શિથિલ બને. આશાતૃષ્ણાનું બળ શાંત થશે. જે મન સંસારભાવને સહાયક હતું તે જ મન મોક્ષમાર્ગના સાધનમાં સહાયક બનશે. દર્શનજ્ઞાનરૂપી ઉપયોગ એ આત્માના ગુણ છે તેનું સ્મરણ રાખ. જેથી ચારિત્ર ગુણ સહજ ભાવે પ્રગટે. જ્ઞાન, દર્શન, ચારિત્ર એ રત્નત્રયની આરાધના તે શુદ્ધ વ્યવહાર છે. તે ગુણોની દશા તે નિશ્ચય છે. ત્રણેનું અભેદ પરિણમન તે મોક્ષમાર્ગ છે.. પૂર્વકર્મના ઉદયકાળે દુઃખના પ્રસંગે જીવ કષાયો કરે અને અન્યને તેની વૃત્તિમાં પ્રેરે તાં બંને કર્મબંધનમાં પડે છે. નિકાચિત કર્મો છૂટતાં પહેલાં પ્રબળ પુરુષાર્થ, સમભાવ અને ધીરજની આવશ્યકતા છે. તેવાં કર્મો સામાન્ય પુરુષાર્થથી દૂર થતાં નથી. કર્મના ઉદયકાળે નવા કર્મને રોકવા પુરુષાર્થ કરવો પડે. ઉપયોગ પૂર્વક આસવદ્વાર બંધ થઈ શકે. સંવરભાવને કારણે નવાં કર્મોનો બંધ નથી થતો. મોક્ષ માર્ગના ધ્યેય વગર જીવ દ્રવ્ય સંવરભાવમાં અટકી દ્રવ્ય નિર્જરા સુધી પહોંચી શકે. ભાવ નિર્જરા એટલે વિચાર કે વિકલ્પ માત્રનું અતિશય શાંત થવું. તેવી સકામ નિર્જરા વગર જીવ મુક્ત થઈ શકતો નથી. યદ્યપિ આ દશાના અધિકારી અપ્રમત્ત મુનિજનો છે. જૈનકુળમાં જન્મેલો જીવ વ્રતાદિ કે ચારિત્ર ગ્રહણ કરી માની લે કે પોતે સમકિતી છે તો તે એક ભ્રમણા છે. નિશ્ચયથી દેહ-આત્માની ભિન્નતાની પ્રતીતિ અને વ્યવહારની સતદેવગુરુધર્મતત્વની શ્રદ્ધા તે સમકિતનું મૂળ છે. સમકિત ગુણ પ્રગટવા માટે ચારિત્રની આવશ્યકતા છે. જીવની અંતરદશાના કષાયોની તીવ્રતા કે મંદતા પ્રમાણે ગુણ પ્રગટે છે. સામાયિક આદિની ભૂમિકાને સમજી તેનું શુદ્ધ અનુષ્ઠાન કરે તો ફળદાયી બને છે. સ્વરૂપ અવલોકન ૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy