SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ એવું જ્ઞાન ગુરુગમથી પ્રાપ્ત કરવું. આત્મસ્વરૂપનું જ્ઞાન નિજેચ્છાએ પ્રાપ્ત થતું નથી માટે ત્યાં જ્ઞાની ગુરુનો સહારો લેવો. જ્ઞાની ગુરુના આશ્રયે આશાતૃણાઓ સહજ રીતે દૂર થાય છે. હૃદયની કોમળતા અને સરળતા ગુણને ગ્રહણ કરે છે. ચિત્તની કઠોરતા ગુણને ગ્રહણ કરવા દેતી નથી. આથી અવગુણના આવરણ જીવને બંધનમાં નાંખે છે. જગતના તમામ પદાર્થો શિક્ષણરૂપ છે. ગુણગ્રાહી જીવ તૃણમાંથી પણ બોધ મેળવે છે. એમ ક્રમે ક્રમે જીવ ગુણાનુરાગી થતાં ધર્મ તરફ વળે છે. જે ધર્મ સંસારની ગતિમાં ભ્રમણ કરાવે તે ધર્મ નથી. ધર્મનું ફળ મુક્તિ છે. સંસાર એ કષાયનું ઘર છે. આમ જ્ઞાન અને અજ્ઞાન વચ્ચે ઝોલાં ખાતો જીવ અનંતકાળથી રખડે છે. પુદગલને બદલે છે. ફકત ઉપયોગને આત્મભાવમાં સ્થિર રે તો રખડવાનું છૂટે. ધ્યેય ઃ અજ્ઞાનને કારણે જીવ અશાતાના ઉદયને રડીને ભોગવે છે. જ્ઞાની તેવા પ્રસંગે ધીરજથી કર્મને વેદે છે. એટલે કર્મરજ સમતાભાવને કારણે ધૂળની જેમ ઊડી જાય છે. જીવે ઉપયોગને ફેરવવાનો છે. જીવનની રીતિને બદલવાની છે. ધ્યેય વગર વૃથા મહેનત કરવાથી ધ્યેયની પ્રાપ્તિ થતી નથી. મુક્તિ માટે નિર્ણય કરવો પડશે. ક્ષણિક વૈરાગ્ય કે મોહગર્ભિત વૈરાગ્યથી કરેલો સંકલ્પ ટકતો નથી. મુક્તિના નિર્ણયને આત્મા સાથે એક કરવાનો છે. આવી શ્રદ્ધા પછી મુમુક્ષુએ વિચારવાનું છે કે આગમશાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે આ કાળે આ દેહે મુક્તિ નથી. તેથી તેને યોગ્ય મહવિદેહ જેવા ક્ષેત્રે પહોંચવાની યોગ્યતા મેળવવી પડશે. આ કાળે મનથી સર્વાશે ઈચ્છા વિરોધ કરવાને તું શક્તિમાન ન હો તો ક્રમે ક્રમે આગળ વધ. છ બાહ્ય અને છ અત્યંતર તપાદિથી વૃત્તિની વાડ બાંધી દે. એ રીતે અભ્યાસ થવાથી પુરુષાર્થની પ્રબળતા થશે. યથાશક્તિથી પણ નિશ્ચિત ધ્યેય હશે તો જ્ઞાનનો યોગ મળી રહેતાં ભ્રમણ ટળશે. કેવળ નિશ્ચયનયને આધારે એમ જ માની લે કે આત્મા તો શુદ્ધ જ છે, હવે કોઈ પુરુષાર્થની કે વ્રતાદિની જરૂર નથી તો સ્વચ્છંદતા આવશે. આત્માનો જે વર્તમાન પર્યાય છે તેને જેવો છે તેવો જાણી લે. વર્તમાનની મલિન પર્યાયનો (ઉપયોગનો) સ્વીકાર નહિ કરે તો જીવ સ્વછંદે ચઢીને જગતમાં આદરવાના સદાચાર જેવા ગુણોને પણ વિસરી જશે. માટે ક્ષણે સ્વરૂપ અવલોકન Jain Education International ૧૫ www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy