SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ તેમાં બીજાનો દોષ જુએ કે વિહ્વળતા અનુભવે તો નવાં કર્મને ગ્રહણ કરે છે. કરોળિયો પોતાની જ લાળથી પોતાનું જાળું ગૂંથી તેમાં ફસાય છે તેમ જીવ કર્મની પરંપરાને સર્જે છે. ગૃહસ્થદશામાં પોતાના કર્મના દોષનો સ્વીકાર કરી યથાશક્તિ કીડી વેગે સાચો પુરુષાર્થ કરે તો પણ યથાસ્થાને પહોંચી શકે છે. તત્ત્વજ્ઞાનીઓએ ચિંધેલા માર્ગ પ્રમાણે આચરણ કરે તો સંસાર ઘટે છે. સ્વમતિ કે મિથ્યાષ્ટિએ પુરુષાર્થ કરે તો શુભ પરિણામે શુભફળને અને અશુભ પરિણામે અશુભફળને ભોગવતો જીવ સંસારમાં ભમે છે. ધર્મ કરીને સ્વર્ગના સુખની ઈચ્છા કરવી તે ધર્માભાસ છે. ઉત્તમ પાંચ અનુત્તર દેવલોક સિવાય નીચેના સ્વર્ગલોકમાં એકાંત સંવેદનસુખ નથી. એ દેવોમાં ઈર્ષાદિ વૃત્તિઓ હોય છે. આયુષ્યકાળ પૂરો થતાં મિથ્યાત્વાદિ કારણે તિર્યંચાદિ નીચી ગતિમાં તેઓ જન્મ ધારણ કરે છે. ત્યાં મનુષ્યના જેવો વિવેકધર્મ પામવાની યોગ્યતા નથી. મનુષ્ય જીવનમાં પુણ્ય અને પાપના ઉદયને કેવી રીતે ભોગવવા તેની સ્વંતત્ર શક્તિ હોય છે. તિર્યંચાદિ ગતિમાં તેવું બળ ભાગ્યે જ કોઈ પરમજ્ઞાનીના યોગે પ્રાપ્ત થાય છે. સંસાર સુખની આશાતૃષ્ણામાં જીવ ફસાય એટલે નીચેનનીચે પડતો જાય છે. આશાતૃષ્ણા એ અજ્ઞાનનું મૂળ છે. ઉપયોગ અજ્ઞાન તરફ વળ્યો એટલે આશા બળવત્તર બનતી જાય છે. સંસાર દુઃખનું મૂળ હોવા છતાં જીવ સંસારમાં સુખની જ ઈચ્છા સેવે છે. અને તે સુખ મેળવવા અનેક પ્રકારના પ્રયત્નો કરે છે. તેનું રક્ષણ કરે છે. રક્ષણ અંગે થતા પ્રયત્નો ચિંતાનું મૂળ હોવાથી કાળે કરીને તે જ સાધનો કે ભોગો ગુણનું ભક્ષણ કરે છે. અને દેહ રોગાદિથી પીડાય છે. મનુષ્ય જીવન પામી આત્માના શુદ્ધ અને સ્વતંત્ર જ્ઞાનના ઉપયોગ વડે જીવે તો તે આત્મસ્વરૂપના સુખનો સ્પર્શ કરી શકે. ઉપયોગ એ આત્માનું લક્ષણ છે. સિદ્ધના આઠગુણો અનંતદર્શન, અનંતજ્ઞાન, અનંતચારિત્ર, અક્ષયસ્થિતિ, અરૂપીપણું, અગુરુલધુ, અવ્યાબાધ સુખ અને અનંતવીર્ય છે. જિનેશ્વરની અષ્ટપ્રકારી પૂજામાં તે આઠ ગુણોની ભાવના થઈ શકે. સિદ્ધના આ ગુણોનું અવલંબન લઈ જીવ માત્ર સિદ્ધ ગતિને પામી શકે છે. નિરાલંબન સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. સંસારમાં રહેવા છતાં જીવ પૂર્વ પ્રારબ્ધને સમભાવે વેદે ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. તેમાં જ્ઞાન સહાયક છે. ૧૪ Jain Education International સ્વરૂપ અવલોકન www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy