SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ પડતી નથી. એક સમયથી માંડી બે ઘડીમાં તેનો બંધ પડે છે. શુભ અશુભ પરિણામ સમયે સમયે બદલાય છે. સમતાના કે કષાયના અધ્યવસાયો ઝડપભેર પ્રગતિ કરે છે. તેથી આત્માએ વિચારવાનું છે કે આયુબંધનો કાળ કયારે પડશે, કેવો પડશે, પ્રાયઃ કરીને જીવનના ત્રીજે ભાગે આયુબંધ પડે છે. અથવા છેલ્લે અંત સમયે પડે. આથી શાસ્ત્રમાં જણાવ્યું કે બીજ, પાંચમ, આઠમ એમ ત્રીજે દિવસે ખાસ ધર્મ આરાધન કરવું. જ્ઞાનચારિત્રમય રહેવું. જ્ઞાનપૂર્વક આરાધના થાય તો સંસારીજીવ શુભ અધ્યવસાયમાં રહી શકે. આયુબંધ માટે સતત જાગૃતિની જરૂર છે. નવાં નવાં કર્મો બંધાયા જ કરે તો રખડવાનુ જ રહે. આયુકર્મ જીવન દરમ્યાન એકજવાર બંધાય તે નિકાચિત બંધાય, ફેરવી ન શકાય. જે ગતિનું હોય તે પ્રમાણે ભોગવવું પડે. શ્વાસોચ્છવાસ સાથે તેનો સંબંધ છે. વાયુ ઉતાવળો થાય તો આયુ જલ્દી ભોગવાઈ જાય. આ એક અંતર ચકરાવો છે. છતાં જીવ તેનાથી અજ્ઞાન છે. વૃત્તિઓની ઉદયકર્મની સમજ આવે તો આયુકર્મમાં સુધારણા થાય. એક સમયથી માંડીને બે ઘડીમાં પલ્યોપમ સાગરોપમ જેવા અતિ લાંબાકાળના આયુષ્યનો બંધ પડે છે. તેમાં કર્મોની હળવાશ હોય તો આયુકર્મ શાતાપૂર્વક ભોગવાય. આયુકર્મ ટૂંકું હોય તો દરેક ક્રિયા વેગથી ભોગવે, તે સમયે જીવ પરાધીન દશામાં રહે. સુખ કે દુઃખમાં સ્વાધીન ન રહે. જાતિ સ્મરણ જેવા જ્ઞાનથી જ સમજાય કે જીવે, કેવા કર્મથી કેવું આયુષ્ય બાંધ્યું હોય છે. આજે તો તેવું જ્ઞાન પણ દુર્લભ છે. શ્રેણિક જેવા પણ હિંસાના આનંદથી નરકગામી થયા. જ્ઞાની ભગવંતનો યોગ મળ્યો. ક્ષાયિક સમ્યકત્વપ્રગટયું પણ આયુ બંધ પડી ગયો તેનું નિવારણ ન થયું તે તો ભોગવ્યેજ છૂટકો થાય. ક્ષાયિક સમકિતી હતા સમતાભાવે ભોગવે પણ ગતિમાં કે દુઃખમાં ફેર ન પડે. પ્રભુએ સમજાવ્યા કે તું ક્ષાયિક સમકિતી છું તને ડર શા માટે? પરિણામે સમતા રાખીશ તો તને નરકયાતના ભારે નહિ લાગે. દુઃખથી પર થઈ શુદ્ધ થઈને ઉચ્ચગતિ પામીશ. અંતિમ સમયે ગતિ પ્રમાણે મતિ ફરે છે. શ્રેણિક રાજાને પુત્ર સાથે પૂર્વના વૈરભાવને કારણે અશુભયોગ ઉદયમાં આવે છે. પુત્ર પિતાને જેલમાં પૂરે છે. રોજે કોરડાથી મરાવતો. એકવાર માતા તેને બાળપણની વાત સ્વરૂપ અવલોકન ૧૭૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy