SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ થાય તેવા પ્રયત્ન કરવા. ઈંદ્રિયોનાં વિષયસુખ આત્મા ભોગવી શકે છે તેવો અભિલાષ થવો તે અજ્ઞાન છે. આત્મા શાશ્વત સુખનો ભોગી છે, ક્ષણિક સુખ તે તેનું સ્વરૂપ નથી. હાલ આત્મા ક્ષયોપશમભાવમાં લાંબો કાળ રહી શકે તેમ છે. ક્ષાયિકભાવે જે કર્મની નિર્જરા થાય તે ક્ષયોપશમથી ન થાય. માટે ક્ષયોપશમભાવને પણ દઢ કરવો. ઉપયોગમાં જાગૃત રહેવું, તો ક્ષાયિકભાવની યોગ્યતા મળે. સત્તામાં પડેલા કષાયો નષ્ટ થયા જેવા જણાય પણ જીવનો ક્ષયોપશમ ન ટકે અને મિથ્યા કે ઔદાયિકભાવ આવી જાય તો જીવ કર્મમાં બંધાઈ જાય. વેદકર્મના ઉદયમાં ઈંદ્રિયોની વાસના પ્રધાન છે. રાગદશામાં માયા અને લોભ આવે છે અને દ્વેષમાં ક્રોધ અને માન આવે છે. કષાયમાં વારંવાર ૨સ પૂરવાથી પ્રકૃતિ સઘન થતી જાય છે. અને તેમાં જ આત્મભાવનો હ્રાસ થાય છે. માટે સત્તામાં પડેલાં કર્મો તરફ પણ જાગૃત રહેવું. દરેક વસ્તુના સ્વભાવધર્મની મર્યાદા હોય છે. પ્રત્યક્ષ જ્ઞાનીના સાન્નિધ્યમાં તેમના ચારિત્રની જીવને અસર થાય છે. કષાયો મંદ પડે છે. સાક્ષાત તીર્થંકર અને ગણધરની વાણીમાં ફ૨ક રહે. વળી તેમની ગૂંથાયેલી વાણી આચાર્યો દ્વારા શ્રવણ થાય તેમાં ફરક રહે. કારણકે તીર્થંકરને પુણ્યાતિશયની વાણી દિવ્યપણે સ્ફુરે છે. આચાર્યો તેના વાચક હોય છે. તેમના પ્રવચનનું શ્રવણ કરી જીવે પુરુષાર્થ કરવાનો છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને ત્યજવાનું છે. ધર્મધ્યાનનું આરાધન કરી શુકલધ્યાનની ભાવના રાખવાની છે. ધર્મધ્યાનનો અર્થ ધર્મક્રિયા નથી. ધર્મધ્યાન એ અંતરસાધન છે. વૃત્તિઓનો જય કરવાનો છે. તત્ત્વનું ચિંતન કરી પ્રકૃતિના ઉદયનો છેદ કરવાનો છે. ધર્મક્રિયામાં પણ ધર્મનો મર્મ સમજવાનો છે. બળવાન એવા મોહનીયકર્મના ભેદ, પ્રભેદ જાણી, તેના આત્મગુણોના ઘાતક પરિણામો સમજવા ખૂબ પ્રયત્ન કરવો. આપણે ચારે બાજુથી મોહનીયના કષાયના વાદળોથી ઘેરાયેલા છીએ. તેને કારણે અન્ય કર્મોનો વિપાક થાય છે. જીવ અનાદિકાળથી આ કર્મોવશ દુઃખ પામ્યો છે. આ જન્મમાં સદ્ગુરુની કૃપા અને બોધ દ્વારા વિવેક પૂર્વક આજ્ઞાનું આરાધન કરી આ બળવાન શત્રુ ૧૭૦ Jain Education International For Private & Personal Use Only સ્વરૂપ અવલોકન www.jainelibrary.org :
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy