SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવી અટકી જાય છે. સામાયિક જેવી વિધિમાં જીવને આનંદ પ્રાપ્ત થતો નથી. કષાય રસ મંદ પડે ક્રિયા સમ્યગુ પ્રકારે થાય. અનશન તે કોઈ ક્રિયા નથી, સહજ દશા છે. અનાહારક દશાએ જવાના અભ્યાસ માટે તે તપ બતાવ્યું. જ્ઞાનીને વેદનીય નિરંતર શાતારૂપે હોવાથી સુધાવેદનીયનો ક્ષય થયો હોય છે. અનશનમાં સ્કૂલ આહારનું સેવન હોતું નથી. યદ્યપિ ચારે આહારનો ત્યાગ હોય છે. સૌ કહે છે કે અમે જાણીએ છીએ કે ક્રોધાદિ કષાયો છે. તે શા કારણથી થાય છે તેનું સંશોધન કરવું જોઈએ. પોતાની કલ્પના મિથ્યા હોય તો સંશોધન શું કરે? સમકિતી નિર્ણય કરે કે આ કષાયો જ મારા શત્રુ છે. તેને મંદ કરી, ક્ષય કરી આગળ વધતો જાય. વૃત્તિ સંક્ષેપ કરીને ચાલે તો ગૃહસ્થ સાધુતા પામે. મોહનીયકર્મ બળવત્તર હોય તો એવું માને કે મળ્યું છે ને ભોગવો. થોડી ધાર્મિક ક્રિયા કરી સંતોષ માને. કષાયવૃત્તિ મોળી ન પડે. સંસારભાવ એ જ કષાય છે, તેમાં રસપૂર્તિ તે મહાદોષો છે, સમ્યગુજ્ઞાન જ એ દોષોને દૂર કરે. એકનું એક કર્મ સતત ટકતું નથી. ઉદયથી બંધ અને બંધથી ઉદય તેમ ચાલ્યા કરે. પુગલનું રૂપાંતર તે અનિત્યતા છે. જન્મ ધારણ કરેલો આ દેહ છોડવાનો છે છતાં ભ્રમિત થઈ જ્ઞાની, ધ્યાન, અભ્યાસી સુખ શોધવાના ફાંફાં મારે છે. ક્ષાયિક સમકિતી અનાદિના પુગલ સંબંધોનો છેદ કરે છે. ચોથા ગુણસ્થાનથી તે ક્રિયાનો પ્રારંભ થાય છે. રાગદ્વેષને જીતવા તે જૈનધર્મનું પર્વ છે. જે પુદ્ગલ-દૈહિકભાવ આત્માને ભૂલાવે તેના સંશોધનમાં પડવાને બદલે આત્માનું સંશોધન કરવું. દૈહિક ભાવે તપ જપ કરવાથી ઉત્તમ દેહ મળે. દેહનાં સુખ સગવડ મળે. અને અંતે તેનો ક્ષય થતાં પરિશ્રમ નિરર્થક જાય. તીર્થકર કે કેવળીના જીવોએ અગાઉના જન્મોમાં સત્ આરાધન કર્યું હોય, એકાંત સેવન કર્યું હોય, સંયમ ધર્મ પાળ્યો હોય ત્યારે જ અંતિમ ભવે આવો મહાન પુરુષાર્થ ઉદયમાં આવે. કોઈ પણ જન્મે મુક્તિની દશા તરફ જવા પુરુષાર્થ કરવો પડશે. જ્ઞાનીની આજ્ઞાએ ચાલવું પડશે. વીતરાગધર્મને યોગ્ય માર્ગે ચાલવાથી સિદ્ધિ છે. સાધુ સાધુતાથી શોભે છે. અરિહંતાદિ પાંચે પદ કોઈ અનુક્રમે સાધ્ય કરે છે, કોઈ સીધું ચઢાણ કરી પરમ દશાને પામે છે. ૧૬૪ Jain Education International સ્વરૂપ અવલોકન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy