SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ રહે છે. તેથી જીવને કાળની ગણતરી, ભવની ગણતરી આવી જાય છે. આથી સામાન્ય સમકિતીને સ્વાધ્યાયાદિમાં ઉપયોગવંત રહેવાનું કહ્યું. વિષયવાર અભ્યાસ કરવો. તપથી કર્મને બાળી શકાય છે. પરંતુ તપ સાથે સમતા, સ્વાદજય જેવાં પરિણામોની શુદ્ધિ જોઈએ. જેથી અનાહારક દશાના અંશો પ્રગટે. તે વીતરાગત્વ છે. પુદ્ગલ માત્ર જડ છે. ચેતનના સંયોગે ચેતનપણે ભાસે છે. છતાં તે તે પદાર્થોમાં મોહ કેમ ઉપજે છે ? વળી પ્રતિકૂળતા મળે જીવ આકુળવ્યાકુળ થઈ જાય છે, ચિંતામાં દટાઈ જાય છે. અને સમકિત હોવા છતાં તે સત્તામાં પડયું રહે છે. માટે પ્રકૃતિના ઉદયને ઓળખવો. તે માટે ચિંતન કરવું. તેમ કરવાથી પ્રકૃતિનું શોધન થશે. આવરણ હોય અને શોધન થાય તેમ બને નહિ માટે જ્ઞાનાવરણ-દર્શનાવરણની પ્રકૃતિનો અભ્યાસ કરી પ્રકૃતિને શુદ્ધ કરવી. ઉપયોગની ચંચળતા (સ્ખલના) અને અશુદ્ધિ જ્ઞાનાવરણકર્મને બાંધે છે. નિદ્રા સેવનનું સુખ દર્શનાવરણ કર્મને બાંધે છે. શાતા અશાતારૂપે વેદનીય કર્મ ઉદયમાં આવે છે. મિથ્યાત્વ અને કષાયને કારણે મોહનીય કર્મનો વિપાક થાય છે. પ્રકૃતિ રસની ગતિ પ્રમાણે આયુષ્યનો બંધ થાય છે. શરીર અને તેની સાથે બીજી અનેક પ્રકૃતિને નામકર્મનો ઉદય છે. જીવના અનેક પ્રકારના અવરોધો તે અંતરાય કર્મ છે. પોતાપણાના ઉચ્ચનીચતાના ભાવથી ગોત્રકર્મ બંધાય છે. આ દરેક કર્મની ઉત્તર પ્રકૃતિ હોય અને કર્મવર્ગણા અનંત પ્રકારની હોય, છતાં જીવ પ્રમાદી રહે તો કર્મ તેના સ્વભાવ પ્રમાણે પરિણમે. તે કર્મો ગાઢ અને નિકાચિત હોય તો ચેતન જડતા અનુભવે. આ કાળે મતિ-શ્રુતજ્ઞાન સાધ્ય છે. બીજા ત્રણ જ્ઞાનના ગુણની ભાવના કરવી. ખરેખર તો મનુષ્ય જેને પોતાની પ્રકૃતિ કે સ્વભાવ માને છે તે વિભાવ છે. પ્રકૃતિ-જન્ય વ્યવહાર તે વિભાવદશા છે. સ્વભાવ તો સહજ અને જ્ઞાનાદિ ગુણવાળો છે. કષાય જન્ય પ્રેરણા અને વિકલ્પો તે વિભાવ છે. જીવ જયાં સુધી આ વાત સમજે નહિ તો ધર્મ શું કરશે ? શરીરની ક્રિયા કરવી પડે પણ કષાય મંદ હોય તો ક્રિયા રસવતી થતી નથી. મનને રસ ન મળે એટલે મૂંઝાઈને અંતર્મુખ થાય. તે પહેલાં ઘણા જીવો થાક સ્વરૂપ અવલોકન Jain Education International For Private & Personal Use Only ૧૬૩ www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy