SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ મનાદિ યોગસાધનાથી કરેલી પુગલશુદ્ધિ તે આત્મા-શુદ્ધિ નથી. પાત્ર થવા માટે સહાયક છે. ધ્યાનથી ધ્યેય સાધ્ય થાય પણ કષાયને કારણે ધ્યાનમાં ભળતું જ્ઞાન આવે. સમ્યગુદશાધારી ધ્યાનનું અવલંબન લઈને ક્રમે વિકાસ કરે. અમુક સ્થાનમાં અમુક કાળે અમુક ક્રિયા કરવી તે સ્થિરતા માટે છે. છતાંય તેનો દુરાગ્રહ રાખી પ્રમાદ ન કરવો. જેમ અંતિમ સમયે પથારી શરણ જીવની શરીરાદિની શુદ્ધિ ન હોય તો પણ નવકારમંત્ર સંભળાવવામાં આવે છે ત્યાં સ્થળ અને સમય જોવાતાં નથી. આ રીતે જીવને જેટલી સ્વાધ્યાય-રમણતા રહે તે રીતે પ્રયોજન રાખવું. કારણકે સત્સંગ જેવા યોગમાં પણ જીવને અવધાન કે સ્મૃતિ રહેતી નથી તેને માટે પણ જીવે પુરુષાર્થ કરી રસ અને જિજ્ઞાસાને બળવાન રાખવા પ્રયત્ન કરવો પડે છે. માટે હવે સમય થઈ ગયો એવા બહાને પ્રમાદ ન કરવો. મોહનીય કર્મમાં સોળ કષાય અને નવ નોકષાય કહ્યા છે તેમાંના છ નોકષાય આ પ્રમાણે છે. નોકષાય એટલે કષાય જેવા કષાયના સાથી. હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, દુગંછા, જેના નિમિત્તથી આ કર્મ ઉદયમાં આવે તે તે તે મોહનીય કર્મ કહેવાય છે. વગર નિમિત્તે પણ મનના ભાવો કે વિચારોથી આ નો-કષાયો ઉદયમાં આવે છે. જેમકે કોઈ હસવાનો પ્રસંગ વિતી ગયા પછી તેના સ્મરણથી જીવને હસવું આવે. વળી અન્ય પ્રસંગથી રતિ એટલે સુખ ઉપજે. અરતિ એટલે અસુખ-દ્વેષ ઉપજે, દુગંછા એટલે ધૃણા ઉપજે. ભય ઉપજે તે ભય સાત પ્રકારે છે. આલોક, પરલોક, ચોરી, અકસ્માત, આજીવિકા, અપયશનો ભય જીવને સતાવે છે તે નોકષાયનો પ્રકાર છે. કષાયના રસ સાથે નોકષાય પોષાય છે. તે પોતાનાથી, પરથી કે ઉભયથી ઊભા થાય છે. હસવું કે સુખ ઉપજવું તે પુણ્યનું કારણ હોવા છતાં હાસ્ય મોહનીય કષાયની પ્રકૃતિ છે તેથી બંધનરૂપ છે. તેમાં સુખનો ભાવ તે ભ્રાંતિ છે. હું આવા સુખને ભોગવવા લાયક છું તેમ માનીને સુખમાં પ્રીતિ ઉપજે. તેથી આત્મગુણો ઢંકાય છે. અને પદાર્થોમાં વ્યામોહ થાય છે. કે અમુક વય થયા પછી, પાછળથી ધર્મારાધન કરશું. તેમ કરતાં જન્મો નીકળી જાય છે. કેટલાક પ્રકારનાં સુખનાં કારણોને લોકો નિર્દોષ સુખ માને છે જેમકે નાટક ચટક જોવાં, પાનાબાજી રમવી. પરંતુ તેમાં રુચિ અરુચિ, હાર-જિતનો ભાવ, સ્વરૂપ અવલોકન ૧૬૫ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy