SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ રસ ઉપયોગને વિભાવમય કરે છે. દેવને અને મનુષ્યને પ્રાયઃ શાતાવેદનીય હોય છે. અશાતા વેદનીયના ઉદયમાં મનુષ્ય ઉપયોગથી વર્તે તો શાતાવેદનીય જ અનુભવે. એકાંતે સુખની અભિલાષા હોય તો અશાતા જણાય છે. આહારનો રસ અને લોલુપતા દેહમાં વિક્રિયા ઉત્પન્ન કરે છે. ભોજનમાં રસ નીરસ તે સર્વ પરિચિત છે. કડવો રસ ન ગમે અને મીઠો કે ખાટો ગમે, વળી ગમે તે પદાર્થનું વધુ સેવન થાય. તે માટે રસાસ્વાદનું વ્રત બતાવ્યું. એકાસન જેવા વ્રતમાં પણ નિયમ આપ્યા છે. અનિવાર્ય સંયોગોમાં છૂટ આપી તે ભોગવવા માટે નહિ, ખેદ સહિત ઉપયોગ રાખવા માટે છે. કાઉસગ્નમાં કે નવકાર મંત્રના જપમાં શ્વાસોચ્છવાસથી પદ સાથે અનુસંધાન બતાવ્યું. એક શ્વાસોચ્છવાસમાં એક પદ બોલાય. તે ક્રિયા એકાગ્રતા માટે છે, ક્રિયા કહે કે હું થઈ ગઈ. મને કહે કે હું ફરી આવ્યું પછી કાઉસગ્ગ ધ્યાનની કે મંત્રજપની સિદ્ધિ શું થઈ? ઉપયોગદશા સ્થિર રહે તે માટે આવા પ્રકાર બતાવ્યા. આત્માનું તત્ત્વ તો ચૈતન્ય છે, સામાન્યપણે શ્વાસ સાથે તે પ્રગટતું રહે છે. માટે મનને શ્વાસ સાથે બાંધવાનું કહ્યું જેથી ઉપયોગ સ્થિર રહે. શ્વેતાંબર અને દિગંબર બંને જૈનધર્મ સ્વીકારતા હોવા છતાં ધર્મક્રિયાના વ્યવહારમાં ફરક છે. દિંગબરના સાધુના નિયમો કડક છે. સાધુના નિયમો શિથિલ થાય કે આચાર શિથિલ થાય તો શ્રાવકો શું આચરશે? શ્રાવકે પૂર્ણ પણે શ્રાવકાચાર પાળવાનો છે, જેથી સાધુધર્મ સહેજે રુચે. બંને પંથ તીર્થકરના-વીતરાગધર્મના છે તે લક્ષ મુખ્ય રાખવું. એક બીજાની પદ્ધતિને મિથ્યાત્વ ગણીને મોહનીય કર્મમાં ન જોડાવું. કષાયો ઓળખાય તેવા હોય છે. અભાવ, બહુભાવ વગેરે કષાયો છે. સદેવ ગુરુધર્મમાં મોહાદિ કષાય હોય તો તેને સરોગસંયમ કહે છે. સંયમથી ભવિષ્યમાં સુખ મળશે તે સરાગસંયમ છે. માત્ર સંયમ જ સકામ નિર્જરાનો હેતુ છે. અનશન જેવી ક્રિયા કરી આહારના કર્મ સાથે આયુકર્મને પણ પૂરું કરે. અનાદિકાળના કર્મ સંબંધોના યોગને પૂર્ણ કરવા આવી ક્રિયા કરે. ધર્મધ્યાન અને શુકલધ્યાનને યોગ વડે સાધે. છેવટે અયોગદશામાં પલટાવે. સંયમના ફળની આકાંક્ષા માટે એટલે વીતરાગસંયમના ભાવમાં ૧૬૦. Jain Education International સ્વરૂપ અવલોકન www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy