SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ છે તેમ આ પરિણામવાળી માયા થોડા સમયમાં શાંત થાય છે. અપ્રત્યાખ્યાની માયા-કંઈક તીવ્ર પરિણામવાળી હોય છે ઘેટાંનાં શિગડાંને ઘણા ઉપાયે વાળી શકાય છે તેમ આ પ્રકારનાં પરિણામોને ઘણા પ્રયાસે શાંત કરી શકાય છે. અનંતાનુબંધી પરિણામવાળી માયા. કઠણ વાંસની ગાંઠનું વાંકાપણું કોઈપણ ઉપાયથી દૂર થતું નથી. તેમ આ માયાનાં પરિણામો ઘણા પ્રયત્ન શાંત થઈ શકતાં નથી. માયાથી કપટરૂપે વ્યવહાર થાય છે. લોભ ક્યાય : (૨) ધન, કુટુંબ, શરીરાદિ પદાર્થોમાં મમતા થવી તે લોભનું કારણ છે. સંજવલન પરિણામ હળદરના રંગ જેવો છે તરત દૂર થઈ શકે છે. પ્રત્યાખ્યાની પરિણામ દીપકથી થતા કાજળ જેવો છે થોડા પ્રવાસે દૂર થાય છે. અપ્રત્યાખ્યાની પરિણામ ગાડાના પૈડાની મેંશ જેવો છે ઘણા પ્રયત્ન શાંત થાય છે. • અનંતાનુબંધી પરિણામ કિરમજીના રંગ જેવો છે જે કોઈ ઉપાય દૂર થતો નથી. આ કષાયોનું પરિણામ : કર્મબંધ થવામાં જ્ઞાનાવરણ અને કષાયરસ આપવામાં મોહનીય કર્મની પ્રબળતા છે. સતુશાસ્ત્રમાં પ્રવૃત્તિ કરે છતાં તત્ત્વની શંકા રહે તેવું સમકિત મોહનીય છે, તે સત્યનું ભાન થવા ન દે. ગુરુગમે આ અસત્ય ટળે. દર્શન શુદ્ધ થાય, શ્રુત જ્ઞાનરૂપે પરિણમે. સતુશાસ્ત્ર કે ગુરુનો યોગ મળે મિથ્યાત્વનું શોધન થયે રાગાદિ મંદ પડે. પરપદાર્થો સાથેના સંબંધોની નિવૃત્તિ થાય. ઈદ્રિય નિગ્રહ થયે ક્રમે કરીને જીવ સમ્યકત્વમાં આવે. મોહનીયનો ઉદય હોય તો સમકિત સત્તામાં રહે માટે જાગૃતિ રાખવી. અને મોહનીયના ઉદયને દૂર કરવા અભ્યાસ કરવો. માનવદેહમાં જ્ઞાનધ્યાનના આરાધન માટે સાધન મળ્યાં છે. તે સાધનો વિષયોના રસમાં પડે તો જ્ઞાન આવરાઈ જાય. પરંતુ જ્ઞાન ધ્યાનમાં રસ રહે તો ઈદ્રિયો પણ નિયમથી ચાલે. સહજ શુદ્ધિ થાય. ઈદ્રિયાદિથી દોષો થતા અટકે. ઉપયોગમય દષ્ટિ તે દર્શન શક્તિ છે. તે સત્ય અસત્યની પરીક્ષા કરી શકે. કષાયનો સ્વરૂપ અવલોકન ૧પ૯ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy