SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રોધનું સ્વરૂપ ઃ (૧) અતિ મંદ એવો સંજવલન ક્રોધ કષાય, પ્રાયઃ સાધુમુનિઓ તેના અધિકારી છે. આ કષાયની તરતમતા જેમ પાણીમાં લીટી ખેંચીએ તે તત્પણ ભૂંસાઈ જાય તેવા પ્રકારની છે. (ર) પ્રત્યાખ્યાન કષાય-મંદ ક્રોધ કષાયનું પરિણામ છે. શ્રાવક તેનો અધિકારી છે. ધૂળમાં લીટી ખેંચીએ અને હવાથી ભૂંસાઈ જાય તેમ આ કષાય તરત શાંત થાય છે. (૩) અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ તીવ્ર કષાય છે. તળાવની માટીમાં લીટી ખેંચીએ અને પાણી ફરી વળતા ભૂંસાઈ જાય તેવા પ્રકારનો આ ક્રોધ કષાય છે. શ્રાવક તેનો અધિકારી છે. (૪) પર્વત ફાટવાથી પડેલી તિરાડ સાધી શકાતી નથી તેવો તીવ્ર અનંતાનુબંધી કષાય છે. ઘણા તીવ્ર કષાયવાળો છે. હિંસકભાવ પ્રેરિત છે. માન કષાય ? • સંજવલન માન-અતિ મંદ પરિણામી છે. સાધુમાં જોવામાં આવે છે. નેતરની સોટિ અલ્પ પ્રયાસે વાળી શકાય છે તેમ મંદ પરિણામી માન કષાયને વાળી શકાય છે. પ્રત્યાખાની માન-મંદ પરિણામી છે. સૂકી લાક્કીને જેટલી મહેનતથી વાળી શકાય તેમ આ મંદ કષાયવાળો જીવ માનને શાંત કરી શકે છે. અપ્રત્યાખાની માન, કંઈ તીવ્ર પરિણામવાળો છે. હાડકાંને વાળવામાં જેવી મહેનત પડે તેમ ઘણા પુરુષાર્થથી આવા માન પરિણામને શાંત કરવો પડે છે. અનંતાનુબંધી માન-તીવ્ર પરિણામી છે. પથ્થરનો સ્તંભ ઘણા પ્રયત્ન પણ વાળી શકાતો નથી તેમ આ માનના પરિણામ જીવ વાળી શકતા નથી. માયા ક્યાય : (૧) સંજવલન માયાનો પ્રકાર વાંસની છાલ સહેલાઈથી વાળી શકાય છે તેવો છે. અતિ મંદ પરિણામવાળી માયા છે તે અતિ અલ્પ પ્રયાસ શાંત થાય છે. પ્રત્યાખ્યાની માયા-મંદ પરિણામવાળી હોય છે. ચાલતા બળદની મૂત્રની ધાર જમીન પર વાંકીચૂંકી થઈ હોય તે થોડા સમયમાં નષ્ટ થઈ જાય ૧૫૮ Jain Education International સ્વરૂપ અવલોકન www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy