SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ છેવટે સંવત્સરી પ્રતિક્રમણની મહાન ક્ષમાપના બતાવી. છેવટે અંત સમયે સર્વ પદાર્થોની મમતા છોડી સર્વક્રિયાથી વિરામ પામવાની વિધિ બતાવી. દરેક જીવે પોતાનું સંશોધન કરવું જોઈએ. જીવના કષાય ભાવ કેવા પ્રકારે છે? જેમકે ધનનો લોભ જીવને અંત સમય સુધી ન છૂટતો હોય તો સમજવું કે તે અંનતાનુબંધી લોભ છે. શ્રાવક ભાવથી સંજવલન ભાવમાં રહી શકે. પૂર્વ પુણ્યના ઉદયે ધન મળે પણ તેમાં પ્રીતિ ન હોય, આથી દાનાદિ કરીને હળવો થાય, વળી માન-કીર્તિની સ્પૃહા વગર ગુપ્તદાનનો રાગી હોય. ધનથી જ ધર્મ થશે તેવો વિકલ્પ ન હોય. આથી મોહનીય કર્મના કષાયોના ઉપશમ થાય. ઉપયોગ દશામાં હીનતા ન આવે. કેવળ ધનથી જ ધર્મ થાય તેવું કરનાર અને કરાવનાર બંને કષાયભાવે વર્તે છે. એક સામાન્ય મનુષ્ય હતો. તેને એકવાર ભાવ થયો કે સ્વામી વાહ્ય કરવાની મારી શકિત નથી, તો શું કરવું? મારું એવું પુણ્ય કયારે જાગશે ! આવા વિચારોથી દુઃખી થતો. તેની પાસે ફકત બે પૈસા જ હતા. આથી પોતાનો આવો ભાવ કોઈને કહેતાં તેને સંકોચ થતો હતો. અને કહે તો પણ લોકો તેને મૂર્ખ કહે. છતાં એક વાર તેણે એક સાધુ મહારાજને પોતાના ભાવ જણાવ્યા. સાધુ મહારાજ તેના ભાવને જાણી ગયા અને તેના ભાવને ઉત્તેજન આપ્યું. તરત જ ઉકેલ કરી આપ્યો કે બે પૈસાનું મીઠું લાવી દાળમાં નાંખી દે. અને સ્વામીવાત્સલ્ય કરનારને પણ સૂચના આપી. વળી પંગત બેઠી ત્યારે તે માણસના હસ્તે દાળ પીરસાવી. આમ તેના ભાવને પૂર્ણ કર્યો. કેવળ ધનથી ધર્મ ન થાય ભાવથી ધર્મ થાય. છતી શક્તિ ગોપવ્યા વગર અને ભાવપૂર્વક જે કંઈ કાર્ય થાય તે સાર્થક છે. જીવ જો કષાયની સૂક્ષ્મતા સમજે તો એક વિચાર કરતાં કે એક શબ્દનો ઉચ્ચાર કરતાં, કે દૈહિક ક્રિયા કરતાં જાગૃત રહે તે માટે કષાયોનું સ્વરૂપ જાણવું જરૂરી છે. સોળ કષાય અને નવ નોકષાયની મર્યાદા બતાવી, તેના અંતર્ગત ભેદ તો અસંખ્ય છે. તેથી તો જીવ સમયે સમયે કર્મબંધન કરે છે. માટે પ્રકાણ્યું કે “સમય ગોયમ મા પમાયે.” પ્રમાદ રહિત આત્મા આત્માપણે રહે તે સ્વરૂપદશા છે. એક ક્ષણનો પ્રમાદ ન લેવો. પ્રભુની આજ્ઞાના આરાધક બનો. સ્વરૂપ અવલોકન ૧૫૭ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy