SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ શમન સામાયિકથી થાય છે. સામાયિકથી ચારિત્ર શુદ્ધિ છે. નીતિ ધર્મથી જીવનની શુદ્ધિ થાય છે તેનાથી વિશેષ શુદ્ધિ સામાયિકવ્રતથી થાય છે. ધનદાનથી પુણ્યના બદલાની ભાવના કષાયને નોતરે છે. દાનમાં ત્યાગવૈરાગ હોય તો જ સંસાર ટૂંકો થાય. કષાયને તેના ઉદયકાળે તેના વેગમાં જોઈ લેવો પણ મનોરથો ન સેવવા કે તેની વિરોધમાં ન જવું. સમ્યગુષ્ટિ ન ખૂલે ત્યાં સુધી આત્માને સ્વ-પરનું ભાન ન થાય. સમ્યગુજ્ઞાન દ્વારા આત્માના ગુણો અનુભવવાના છે. સાંસારિક ક્રિયામાં ખેદ રહેશે તો જ સ્વભાવનું સુખ મળશે. પરમાંથી મળતા સુખની લાલસા ઘટશે. કષાયોનો રસ ઘાતક છે. અનંતાનુબંધી કષાયો જીવને આજીવન સુધી ઉદયમાં રહે છે. તેથી જીવ પ્રાયઃ નરકગતિ પામે છે અને આ કષાય સમ્યગુણનો ઘાત કરે છે. અપ્રત્યાખાનાવરણ કષાયો એક વરસ રહે છે, આ કષાય વડે તિર્યંચગતિનું આયુષ્ય મેળવે. દેશવિરતિ-શ્રાવકપણું પ્રાપ્ત થતું નથી. પ્રત્યાખ્યાનાવરણ કષાય ચાર માસ રહે છે. મંદ કષાયને કારણે મનુષ્યગતિ મળે છે. પરંતુ સર્વવિરતિ ચારિત્રપણું પ્રાપ્ત થતું નથી. સંજવલન કષાય એક પખવાડિયું રહે છે. અતિશય (કષાયનું) મંદપણ હોવાથી દેવગતિ પ્રાપ્ત થાય છે. પરંતુ યથાખ્યાત ચારિત્ર-સંપૂર્ણ ચારિત્ર પ્રાપ્ત થતું નથી. આવા પ્રકારે પ્રાયઃ કષાયનો ઉદય રહે છે. આમ છતાં કષાયના રસમાં ફેર હોય, આયુષ્યના બંધ સમયે કષાયની તીવ્રતા મંદતા પ્રમાણે કષાયના ઉદય અને ગતિમાં ફેરફાર થાય. જેમ કે બાહુબલિજી સાધુદશામાં હતા, સંજવલન કષાય નિયમથી એક પખવાડિયું જ રહે છતાં એક વર્ષ માન કષાયમાં નીકળી ગયું. પ્રસન્નચંદ્ર રાજર્ષિ ચારિત્રદશામાં હતા હિંસાના ભાવોથી અનંતાનુબંધિ કષાયમાં જીવના ભાવો પરિણમ્યા. શીઘતાએ પાછા શુદ્ધ ધર્મમાં આવ્યા ત્યાં અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પામ્યા. મિથ્યાદેષ્ટિ જીવ નવરૈવેયક જેવી દેવગતિમાં ઉત્પન્ન થાય છે. પરંતુ પરિભ્રમણ ચાલુ રહે છે. કારણે નવપૂર્વ ભણ્યો પણ આત્માને જાણ્યો નહિ. પરિણામની આવી વિચિત્રતા છે. જેમ કષાયોની મર્યાદા આપી તેમ ધર્મક્રિયાની મર્યાદા આપી કે બારે માસ ધર્મઆરાધન ક્રવું, તેમ ન બને તો ચારમાસ ધર્મ આરાધન કવું તેમ ન બને તો પાક્ષિક પ્રતિક્રમણરૂપે પ્રાયશ્ચિત કરવું, અને ૧૫૬ સ્વરૂપ અવલોકન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy