SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ આવે. પુણ્યનો ક્ષય થવો તે નિકટ મોક્ષગામી જીવને માટે સંભવિત છે. વીતરાગ સંયમ પૂર્ણપણે ન પ્રગટે ત્યાં સુધી ઈદ્રિયાદિનો સંયમ ઉપદેશ્યો. તેમાં સતત જાગૃતિ અને પુરુષાર્થ હોય તો જ ઉત્તરોત્તર ગુણશ્રેણિ ચઢે. પણ જો વળી કષાયનો ઉદય થાય તો ચઢ ઉતર કર્યા કરે. માટે ધર્મની ક્રિયાઓ અને ભાવધર્મનું આરાધન બતાવ્યું. ક્રિયા સાથે આત્મભાવ સ્થિર ન રહે તો જે કંઈ સાધન થાય તે નિરર્થક થાય અને જયાં જાય ત્યાં સર્વ નવેસરથી કરવાનું થાય, તે બાળભાવ છે. ધર્મક્રિયા ન કરે તો ખેદ થાય પણ તે ક્રિયામાં મન ફરતું જ રહે કે સંકલ્પ વિકલ્પમાં જોડાયેલું જ રહે તો દુઃખ ન થાય. તપસ્વીનો પુરુષાર્થ તપ કરવા કરતાં આહારના સંયમમાં વધુ જોઈએ. અયોગી દશા ન આવે ત્યાં સુધી કંઈ ને કંઈ ક્રિયા કરવી પડે છે. ધર્મધ્યાનમાં પણ પ્રભુની આજ્ઞા વિષે ચિંતવન કરવું પડે છે. મનુષ્યભવમાં જ આ યોગ મળે છે કે સમયે સમયે ઉપયોગ રાખી શકાય. માત્ર કાયયોગ કામે લગાડવાથી કાર્ય સરતું નથી. ત્રિવિધ યોગથી ક્રિયા થાય ત્યારે તે સાર્થક થાય. સમતા એ મુખ્ય ધર્મ છે. ભાવ સમતાથી કર્મ ક્ષય થાય છે. અને આત્મગુણ પ્રગટે છે. બાહ્ય સમતા તો લોકભયથી કે સારા દેખાવાની ઈચ્છાથી રહે છે. ભાવ સમતાવાળો જીવ સ્વ-પર હિત જુએ છે. સામા જીવના કષાયનો ઉદય જુએ છે. પોતાના ઉદયકર્મના સંયોગને જુએ છે અને સમભાવે રહી ઉદયકર્મને ખાળે છે. કર્મના ઉદયનો અસ્ત કરી કર્મબંધનો ઉકેલ કરી લે છે. બે ઘડીના શુદ્ધ સામાયિકથી જ્ઞાન શુદ્ધ થાય. પણ સામાયિકનું કાર્ય કેવળ દેહ કરે તો જ્ઞાન ન થાય, ત્રણે યોગ સામાયિકના ભાવમાં રહે તો શુદ્ધિ થાય. યોગો જડતામાં રહે તો ચૈતન્યનું કાર્ય ન થાય. જ્ઞાની આહાર ગ્રહણ કરીને તે તે કર્મનો ક્ષય કરે છે. અજ્ઞાનીને આહારકર્મનો ઉદય હોય ત્યારે તેમાં તદાકાર થઈ નવા કર્મને ગ્રહણ કરે છે. જ્ઞાનની ભ્રાંતિથી યોગોને ક્ષીણ કરવાના નથી. પણ તે યોગોની ગતિને શુદ્ધ કરવાની છે. જ્ઞાનમય ઉપયોગને કારણે પુલના સંબંધનો ક્ષય થઈ પુગલ પરમાણુરૂપે પરિણમે છે તે જ કષાય કર્મની નિવૃત્તિ છે. અને આત્મા શુદ્ધપણે રહે છે. શુદ્ધધર્મ : આત્મા સહજભાવે રહે તો અજ્ઞાન ટકતું નથી. પરમાં કે ધર્મક્રિયામાં પોતાપણાની લાગણી શા માટે? મહાવીર ભગવાને એક સ્વરૂપ અવલોકન ૧૬૧ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy