SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ કષાય મિશ્રભાવ જેવો છે. સંજવલનભાવનો ઉદય પણ ભાન ભૂલાવી અનંતાનુબંધી સુધી પાછો ખેંચી જાય. નિર્જરા ભૂલીને આશ્રવભાવમાં જાય. અને ગુણશ્રેણિથી ઉતરી જાય. સમકિત પ્રાપ્ત થવાથી વિભાવ મંદ પડે છે. ક્ષયોપશમભાવ ચૂકયો કે મિથ્યાત્વ ચઢી બેસે છે. આશ્રવ પ્રધાનતા ભોગવે છે. પછી તો જયાં જયાં જીવનો ઉપયોગ જોડાય રસ પડે કે કર્મબંધનની જાળ પ્રસરતી જાય છે. બાહ્ય વ્યવહારથી ધર્મી દેખાતો જીવ અંતરમાં કષાયોને દબાવે પણ વૃત્તિઓ નષ્ટ થતી નથી. ઉપશમભાવ આવે જ વૃત્તિઓ નષ્ટ થાય છે. ઉપશમ મોહનીયનો થાય ત્યાર પછી જીવ સદ્ધર્મ પામે છે. મતિજ્ઞાનથી ઉપશમ કરવો હોય તો મન તથા ઈંદ્રિયોને જીતવી પડે. તેનો જ્ઞાનમય ઉપયોગ થવાથી ઉપશમભાવ રહે છે. કષાયોને ૨સ મળતો નથી અને અંતર્મુખતા રહે છે. ભાવથી પુદ્ગલકર્મનું દમન થાય. દ્રવ્યથી કર્મો છૂટાં પડે. અનુપયોગ દશામાં જીવ ભોગ પરાયણ બને છે. ઉપયોગ જ વિભાવરૂપે પરિણમી શક્તિનો હ્રાસ કરે છે. ત્રણે યોગનો સંયમ ઉપયોગની શુદ્ધિ, સાધુતા લાવે છે. ધર્મશાસ્ત્રમાં તેનો ક્રમ આપ્યો છે તે પ્રમાણે કષાયાદિનો નાશ કરી આગળ જવાય. ચારિત્ર મોહનીયના ઉદયમાં સમકિતી જીવ તે ઉદયને શાંત કરી શકે. નિકાચિત હોય તો ભોગવીને અને પાતળા કષાય હોય તો ભાવથી, સમતાથી દૂર કરે. ગમે તેવા કષાયોના ઉદયકાળે મૌન રહેવું, તેમ ન થાય તો સ્થળાંતર કે ક્રિયાંતર કરવું, એમ કષાયને ટાળી શકાય. કષાયના ઉદયકાળે મધ્યસ્થભાવ રાખી તેનું નિરીક્ષણ કરવું. અપ્રમત્તદશાના ભાવ કેળવવાના છે. ભાવધર્મ વગર દ્રવ્યધર્મનો પરિશ્રમ નિરર્થક જશે. પૂર્વના પુણ્યથી ઉદયમાં આવેલાં કર્મોને-વિષયોને પ્રેમથી સમજથી ત્યજી દો. શુભભાવ હોય તોય આશ્રવ દૂર નથી થતો. અશુભભાવથી બચવા, વિષયવૃત્તિઓને શાંત કરવા પૂજન વગેરે બતાવ્યાં. મતિ-શ્રુતજ્ઞાનમાં સત્તામાં કષાય છે તેથી તે અજ્ઞાનરૂપ વર્તે છે. સંસારની સર્વ ક્રિયામાં જાગૃતિ અને ઉપશમભાવ રાખી ક્ષાયિકભાવ સુધી જવાનું છે. ચારિત્ર અંગીકાર થયે સંજ્વલન ભાવ હોય જ તેવું નથી. શ્રાવક ઉત્તમદશાએ રહી સંજ્વલનભાવ સુધી જઈ શકે. છતાં સંજ્વલન એ કષાય ૧૫૨ Jain Education International For Private & Personal Use Only સ્વરૂપ અવલોકન www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy