SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાપ્ત થાય, તેને સિદ્ધ કરી જ્ઞાનરૂપે પરિણમન થઈ શકે. તીર્થંકરો કેવળજ્ઞાન પ્રગટાવે છે. ગણધરો અતિઈદ્રિય જ્ઞાન પ્રાપ્ત કરી આગળ વધે છે. શ્રુત કેવળી પૂર્વના જ્ઞાન આરાધન તથા વર્તમાન લબ્ધિયોગે જ્ઞાનને પામે છે. આવા શ્રુતજ્ઞાનની આરાધના કરવી. શ્રુતજ્ઞાનથી તત્ત્વનું યથાર્થ સ્વરૂપ સમજાય છે. સમ્યગ્ જ્ઞાની કર્મને ભોગવે અને નિર્વેદપણે રહે. પુણ્યપ્રકૃતિ નિર્જરામાં સહાયક છે. અશુભ ઉદયકાળે જીવ વ્યાકુળ થઈ જાય છે. સપુણ્ય હોય તો પુણ્યનો ક્ષય કરવાનું સામર્થ્ય પ્રગટે છે. ભરત ચક્રવર્તી હજારો રાણીઓ અને અનંત ઐશ્ચર્ય છતાં સપુણ્યને કારણે નિર્વેદપણે રહેતા હતા. મેથીના કડવા લાડુમાં ગળપણ નાંખવાથી રસમાં ફેરફાર થાય છે તેમ પ્રકૃતિમાં ફેરફાર થઈ શકે. બાહ્ય સામગ્રીની વિપુલતા હોય પણ મનના ભાવ તેમાં તદાકાર ન થાય. ભોગાવળી કર્મ મોટું હોય તોય જ્ઞાની પુરુષ તેનાથી નિર્વેદ રહે. તેનો વ્યવહાર શુદ્ધ હોય. અશુદ્ધ વ્યવહારમાં મિથ્યાત્વ છે, જીવનને શ્વાસોચ્છવાસની જેમ નિયમિત રાખવું. મન, વચન, અને કાયાના ત્રણે યોગનું સંશોધન કરવું. મિશ્રમોહનીય : જેવી રીતે કેવળ નાળિયેરના દ્વીપમાં વસતા મનુષ્યોને અન્નાદિ આહાર પર રાગદ્વેષ નથી થતો તેવી રીતે મિશ્ર મોહનીયના ઉદયે કોઈ નિર્ણાયકભાવ ન હોવાથી સ્વધર્મમાં જીવને રાગ-દ્વેષ થતો નથી, રુચિ અરુચિ થતી નથી.મિથ્યાત્વ મોહનીયના ઉદયથી જેવી રીતે રોગીને પથ્યની ચીજો રુચતી નથી અને અપથ્ય રુચે છે તેમ સ્વધર્મ-જૈનધર્મઆત્મધર્મ પર શ્રદ્ધા થતી નથી, અને દ્વેષ થાય છે. અને પરધર્મમાં, પરભાવમાં રાગ વર્તે છે. તેના ભેદ નીચે પ્રમાણે છે. (૧) સંસાર ત્યાગીને સાધુ માને (૨) બાહ્ય વેશધારીને સાધુ માને (૩) ક્ષમાદિ ધર્મના દશ ભેદમાં ધર્મબુદ્ધિ ન રાખે (૪) હિંસા આદિ પ્રવૃત્તિમાં ઉદ્યમ કરે (૫) જડમાં ચેતનબુદ્ધિ અને (૬) ચેતનમાં જડ બુદ્ધિ રાખે (૭) ઉન્માર્ગને સન્માર્ગ માને (૮) સન્માર્ગને ઉન્માર્ગ માને (૯) વિતરાગને દેવ ન માને (૧૦) સરાગીને દેવ માની ભક્તિ કરે. મિથ્યામતિથી અસને સત્ માને. મિશ્રમાં અસત્ સત્નો નિર્ણય ન થાય. જ્ઞાન મુખ્ય અને ક્રિયા (પછી) ગૌણ કરે તો સમ્યક્ દૃષ્ટિ મળે. સ્વરૂપ અવલોકન Jain Education International For Private & Personal Use Only ૧૪૭ www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy