SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વાર ખૂલે. દેશકાળ પ્રમાણે સંપૂર્ણ મોક્ષ ન થાય પરંતુ તેની દિશા મળે. અને ગાઢ કર્મોનો નાશ થાય. તીર્થયાત્રા કરીને જીવનમાં પરિવર્તન આવવું જોઈએ. દેહભાવ શિથિલ થાય, આત્મભાવ દઢ થાય તે યાત્રાનું પરિણામ છે. સુખ સગવડ રસાસ્વાદનું પોષણ ઈત્યાદિમાં વૃત્તિ રહે તો યાત્રાજીવન સાર્થક ન થાય. તેમાં કેવળ મનોરંજન કે ગમન થયું તેમ જણાશે. તીર્થો પણ જો હવા ખાવાનાં કે દવા મેળવવાનાં સ્થાનો થશે તો જીવ કયાં જઈને આરાધના કરશે ? - ધર્મમાં મનના દુરાગ્રહથી મુક્તિ નથી. રાગ દ્વેષથી મુક્ત થવું તે મુક્તિ છે. દર્શનમોહનો ક્ષય થયે આત્મબોધ થાય. આત્મભ્રાંતિ ટળે, દેહમાંથી આત્મબુદ્ધિ ટળે. તત્ત્વની શ્રદ્ધા થાય, આત્મા અને દેહમાંથી મિશ્ર ભાવ ટળે, અને તત્ત્વ શંકા દૂર થાય ત્યારે દર્શનમોહ ટળે. મત એ ધર્મ નથી આત્મ સંશોધન એ ધર્મ છે, ગ્રંથમાંથી જ્ઞાન મળે પણ તે અનુભવાય ત્યારે આત્મજ્ઞાનરૂપે પરિણમે, પોતાની વૃત્તિ અને પ્રકૃત્તિનું નિરીક્ષણ કરવું, તેને દૂર કરવા ગુરૂગમે પ્રયત્ન કરવો. સામાયિક એ સાધુપણાની ભૂમિકા છે. શ્રાવક અને શ્રમણ બંને તેના આરાધક છે. અપૂર્ણતા છે તે સામાયિક ભાવથી પૂર્ણ થાય છે. ત્યારે આત્મા જ્ઞાનરૂપે પ્રકાશે છે. દર્શનમોહ દબાયો ન હોય ત્યાં સુધી ધર્મીએ અન્ય ધર્મના સંપર્કમાં ન આવવું. ગૃહસ્થને પોતાના પરિવારમાં સુખ લાગે છે તેમ ધર્મના ક્ષેત્રમાં પણ સુખ મેળવવાની લાલસા રહે છે. બાહ્ય ચારિત્ર કે આચાર સાથે મન અને વચન તે પ્રમાણે હોવા જોઈએ. ક્ષાયિક સમ્યકત્વ ન હોય ત્યાં સુધી પરિણામોની ચંચળતા રહેવાની. માટે ધર્માધર્મની તુલનામાં પડવાનું છોડી મધ્યસ્થભાવ કેળવવો. ધર્મ પામીને બોધિબીજનું સ્થાપન થવું દુર્લભ છે. આત્મધર્મને નિભાવતાં ન આવડે તો ખાડામાં પડવા જેવું થાય છે. નીકમાં પાણી ભરાય અને ઠલવાય તેમ કષાયના દ્વારથી કર્મ આવે અને જાય. ઉદય સમયે કેમ રહેવું તેની આવડત જોઈએ. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની શુદ્ધિ આ ક્ષેત્રે, આ કાળે સહાયક છે. શ્રુતજ્ઞાન માટે ઉપયોગ જરૂરી છે. મનુષ્યને સંજ્ઞીશ્રુત કહ્યો છે. કારણ કે તેને વિચારશક્તિવાળું મન મળ્યું છે, તેથી તે શાસ્ત્રશ્રુત પ્રાપ્ત કરી શકે છે. અને સમ્યક્ શ્રુતની પ્રાપ્તિ કરી શકે, કુશ્રુત ટળી સુશ્રુત Jain Eqxen International સ્વરૂપ અવલોકન'.Org For Private & Personal Use Only
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy