SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ માન્યતા રસ પોષક છે. આહારમાં સ્પર્શ અને રસનું સુખ લાગે તો ધર્મક્રિયામાં સ્થિરતા ન આવે. આહારના વિકલ્પો ઊઠે અને ચિત્ત ચંચળ બને. સમ્યગુ તપ સાથે સંયમમાં સામર્થ્ય છે. નહિ તો સુખની લાલસાથી કરેલા તપ-સંયમથી અગિયાર ગુણસ્થાન સુધી ચઢે અને પહેલે આવીને પડે. જો આયુષ્ય પૂર્ણ થયું તો દેવલોકમાં જાય અને કેટલોય લાંબો સમય ત્યાં ભોગમાં ગુમાવવો પડે. એ સમયે અલ્પ સમય મળ્યો હોય અને પરિણતિ બદલાય તો ઉપર ચઢે. અલ્પ સમયના અભાવે સાગરોપમનો લાંબો કાળ ગાળવો પડે. છતાં સંસારમાં જીવો કેવા નિશ્ચિત થઈને ફરે છે. આત્મભાવ ઉદ્યોગી તે યતિ, કર્મોને દૂર કરવાનો અને ગુણોને પ્રગટ કરવાનો ઉદ્યમી તે યોગી, મહાપાપની વૃત્તિથી છૂટવું અને મોક્ષ માર્ગે ચાલવું તે યાત્રા છે. આરાધના એ સંગમ સ્થાન છે. આત્મ સંશોધન સ્વરૂપજ્ઞાને જીવ અજીવને ભિન્ન જાણવા તે નિર્જરાવસ્થા છે. કયારેય ખંડિત ન થાય તે તત્ત્વ છે, પર્યાય પરિવર્તિત થાય છે. આત્મા તત્ત્વ દર્શનથી જ્ઞાનમય પરિણમે, અને તેનો અનુભવ તે ચારિત્ર. શુદ્ધ ચારિત્ર તે સિદ્ધપણું. આત્મજ્ઞાનમાં આવું સુખ મળે છે તો પછી જે સુખ પછી દુઃખ મળવાનું છે તેવું સુખ જીવ શા માટે ઈચ્છે ? જીવનું લક્ષણ ચેતન છે. તે લક્ષણ બહારની ક્રિયા કરે તે દ્રવ્ય ચેતન છે. આત્મભાવમાં સ્થિર રહે તે ભાવચેતન છે. આવી બંનેની સમજ આવે તત્ત્વને યથાર્થ જાણી શકાય. કષાયથી ભરેલા મોહનીયકર્મનો ક્ષણે ક્ષણે ઉપશમ કરવો, જેથી મિથ્યાત્વ શિથિલ થાય અથવા તેનો ઉદય રોકાય. સંસારથી નિવૃત્ત થઈ આરાધના કરવાથી આ કર્મ મંદ થાય છે. આથી તીર્થયાત્રાનું પ્રયોજન દર્શાવ્યું. આજે તો ત્વરિત ગતિવાળાં સાધનો દ્વારા યાત્રા કરવામાં આવે છે તેમાં નિવૃત્તિની ભાવના હોતી નથી. નિવૃત્તિની ભાવનાથી તીર્થમાં જાય તો ત્યાં આત્મસાધકોનો સત્સંગ થાય. દોષની શુદ્ધિ થાય. મુનિઓનો સહવાસ મળે, સહેજે કષાયો ટળે. યાત્રાળુએ આધિ, વ્યાધિ અને ઉપાધિને સાથે લઈને જવાનું નથી. વ્યાધિ હોય તો ય દેહનું મમત્વ છોડી એકાંતમાં તીર્થની પવિત્રતાનો અનુભવ કરવાનો છે. જ્ઞાન, દર્શન, તપનું આરાધન કરે. ત્યારે પ્રભુપૂજનનો સાચો અધિકારી બને. અને પરમપદની પ્રાપ્તિનું સ્વરૂપ અવલોકન Jain Education International ૧૪૫ www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy