SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ જડમાંથી, સંસારમાંથી વૃત્તિઓ કંઈક ઢીલી પડે પણ નિર્ણય શક્તિ ન હોય છતાં સંશોધન કરે અને પછી સમ્યકત્વમાં આવે, આત્માને આત્મભાવે ઓળખવા પ્રયત્ન કરે. નિર્ણય પણ પાકો હોય છતાં શંકા રહે તે સમ્યકત્વમોહનીય છે. સમકિત એટલે સત્ વિચાર, સત્ આચાર. સમકિત એ ચોથું ગુણસ્થાન છે. તે પછી ઉદ્યમ ન કરે. જાગૃત ન રહે તો સમકિત સત્તામાં પડયું રહે. જીવ આગળની શ્રેણિએ ન ચઢે. સમકિતી સંસારમાં ઉદય આવેલા પ્રારબ્ધને ભાવપૂર્વક ન ભોગવે. ઉદયકર્મને નિષ્ઠયોજન કરે. તપ ઈદ્રિયના વિકારોનું દમન-શમન છે કરે છે. પુદ્ગલ નિવૃત્તિરૂપ ધર્મ આદરે ત્યારે સાચું તપ થાય. કોઈ પણ પદાર્થની વાસના એ જ સંસાર છે. પુદ્ગલના પર પદાર્થનું ભોકતાપણું એ સંસાર છે. કષાય રહિત આચરણ તે સમ્યગું આચરણ છે. કષાય ભાવ હોય તો ઉદયકાળે વિપરીત બંધ થાય. તપ દ્વારા મતિ-શ્રુત જ્ઞાન શુદ્ધ થાય. તપથી પોતે તપતો નથી, બીજાને તાપ આપતો નથી. કષાયના ઉદયને શાંત કરે. આથી આત્માના આનંદને ભોગવે. પૌગલિક ક્રિયા કરવી પડે તો યે સમતા ભાવે કરે. આથી કર્મ તપે અને તેનો નાશ થાય. તપના આરાધનમાં આગળ પાછળના સમયમાં કર્મ પ્રકૃતિના રસત્યાગનો અનુભવ કરે. આવા રસથી આત્માને જુદો પાડે તો અંશે અંશે આત્માનો અનુભવ થાય. આપણે શ્રમણ ધર્મના પથિક છીએ, આપણે કેવળ બાહ્ય તપનું અનુકરણ ન કરવું જોઈએ, કષાયનું શમન ન થાય ત્યાં સુધી તપ તપરૂપે પરિણામ ન પામે, પુદ્ગલ તપે અને અશુદ્ધિ દૂર ન થાય. કાઉસગ્ગ, (કાયોત્સર્ગ) એ ધ્યાન પ્રેરક છે, તે વડે કર્મક્ષય થઈ શકે છે. દર્શનમોહનીયનો નાશ થતાં જીવને આત્મરુચિદૃઢ થાય છે. સંસારપ્રવૃત્તિ સુખરૂપ નથી લાગતી. સાચો તપસ્વી તપ વડે પોતાના કર્મને બાળે બીજાને શાપ ન આપે. મુનિ આશીર્વાદ ન આપે પણ “ધર્મલાભ આપે. તપની સાચી ક્રિયા આઠમે ગુણસ્થાને શરૂ થાય તે પહેલાં અભ્યાસ થઈ શકે. પાંચ મહાવ્રતનું પાલન એ જ તપ છે. તે વડે મહાન સકામ નિર્જરા થાય. એકાસન-(એકાસણું) જેવા વ્રતમાં પણ નિયમપૂર્વક આહાર લેવો અને જાગૃતિ રાખવી. તે દિવસે અનુકૂળ આહાર અને રસવૃદ્ધિ થાય તો તે તપ નથી. સારો અને પૌષ્ટિક આહાર લેવાથી સારી ધર્મક્રિયા થશે તે ૧૪૪ સ્વરૂપ અવલોકન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy