SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ = * * * * * * * આત્મા ક્ષણિક છે તેવો ભ્રમ કયાં થયો ? જીવને કર્મોથી સર્વ પ્રકારે છૂટવાના સમયે નિષ્ક્રિયાવસ્થા આવે છે. જ્ઞાની ગુરુના આશ્રય વગર તે કક્ષાએ ટકવું દુર્લભ છે. પૂર્વના પ્રબળ આરાધને જીવ ટકી જાય. નિષ્ક્રિયાવસ્થામાંથી જીવ શૂન્યતા અનુભવે છે. અને મુક્તિ સુધી પહોંચી શકતો નથી. શૂન્યતા ક્ષણિકતામાં લઈ જાય. જ્ઞાનનો સતત પ્રકાશ પૂર્ણતા તરફ લઈ જાય. વિતરાગદેવોમાં કર્તાપણું નથી. તેથી પ્રગટપણે દર્શન દેતા નથી તેમના ભક્ત વૈક્રિય દેવો દર્શન આપે આથી જગતના જીવોની સ્કૂલ દૃષ્ટિ વૈક્રિય દેવો સુધી પહોંચી. જૈનેતરમાં પરમાત્મા એ અવતારધારી છે. મનુષ્ય-જીવમાત્ર તેનો અંશ છે. તેવી માન્યતા સેવાવા લાગી. જૈનદર્શનમાં જીવ માત્રને પરમાત્માપદની પ્રાપ્તિનું વિધાન છે. સર્વ જીવ મુક્ત થવા માટે સ્વતંત્ર છે. આ નવતત્ત્વોની શ્રદ્ધા અને બોધ તે સખ્યત્વનું લક્ષણ છે. ઈષ્ટને ઈષ્ટ અને પ્રિય ને પ્રિય સૌ માને. અનિષ્ટમાં ઈષ્ટ, અપ્રિયમાં પ્રિય માનવું તે પુરુષાર્થ છે. કષાયનો ઉદય આવે ત્યારે ઉપશમાવે નહિ તો કષાય શાંત ન થાય. અનુકૂળતામાં પ્રમાદ સેવે કોઈ ધર્મી ન થાય. પ્રતિકૂળતામાં દુઃખી થાય તે ધર્મી ન થાય. સમ્યકત્વના ક્ષાયિક વગેરે ભેદ છે. નવતત્ત્વની શ્રદ્ધા તે વ્યવહાર સમકિત છે, આત્મામાં દર્શનાદિ ગુણોનું પ્રગટવું તે નિશ્ચય સમકિત છે. રત્નત્રયરૂપ પરિણતિ રમણતા તે નિશ્ચય સમકિત છે. રૂઢિથી કે માન્યતાથી દેવાદિને માને અને તે મતને જ સાચા ઠરાવે તે અભિનિવેશ છે. ધર્મબુદ્ધિથી પણ જો એવું વિચારે કે મને સંસારનાં સુખ જોઈએ, અને તે તે પ્રકારના દેવોની ઉપાસના કરે, કે ભક્તિ કરે, તો તે વિતરાગદેવની ભક્તિને ન પામે. શ્રાવક શુદ્ધ દેવ ગુરુની ભક્તિ કરે તે દ્રવ્યભકિત છે. મુનિઓ ભાવથી ભક્તિ કરે છે. મિથ્થામતિને કારણે લૌકિક ભકિતમાં જાય તો આત્મા ભક્તિ દ્વારા સ્થિરતા ન પામે. વિતરાગની આજ્ઞા એ જ ધર્મ, તે વડે અંતર-બાહ્ય બંને મિથ્યાભાવ ટાળી શકે. દર્શનમોહનીયના ત્રણ પ્રકાર છે. મિથ્યાત્વમોહનીયમાં જડમાં આત્મ બુદ્ધિ સંસારમાં સુખબુદ્ધિ માને. ત્યાંથી આગળ મિશ્રમોહનીયમાં જાય, સ્વરૂપ અવલોકન ૧૪૩ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy