SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ પોતાના સ્વરૂપમાં ટકે છે. દેહભાવથી નિવૃત્ત રહી શકે. બે ઘડી કે અંતરર્મુહૂર્ત પછી ઉપયોગ પલટો લે. ત્યારે પોતાના પરિણામ અને પુરુષાર્થ પ્રમાણે જીવ આગળ વિકાસ કરે, કયારે નીચે પણ ઉતરે માટે બારમા ગુણ સ્થાનક સુધી જીવે સતત જ્ઞાનીના બોધના આશ્રયે પુરુષાર્થ રાખવો. (૪) વેદક સમ્યક્ત્વ ઃ ક્ષયોપશમ સમ્યક્ત્વમાં રહેલો જીવ જયારે સમ્યક્ત્વ મોહનીયના અંતિમ પુદ્ગલના રસનો અનુભવ કરે છે તે સમયના પરિણામને વેદક સમ્યક્ત્વ કહે છે. આ સમ્યક્ત્વ પછી ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. વેદક સમ્યક્ત્વ કર્મના અનુભવને જલ્દી વેદી લે છે, તેમાં અનુભવ પ્રધાન રહે છે. (૫) સાસાદન સમ્યક્ત્વ : ઉપશમ સમ્યક્ત્વથી ચૂકીને મિથ્યાત્વ સન્મુખ જતો જીવ જયાં સુધી મિથ્યાત્વને પૂરેપુરું ગ્રહણ નથી કરતો ત્યાં સુધી વચ્ચેના સમયના પરિણામને સાસાદન સમ્યક્ત્વ કહે છે. નવતત્ત્વનું સંક્ષિપ્ત સ્વરૂપ ઃ જગતમાં જીવ અને અજીવ બે મુખ્ય તત્ત્વ છે. વિસ્તારથી નવ ભેદ છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ. જીવ : (૧) પ્રાણોને ધારણ કરે તે જીવ, તેના બે ભેદ છે. દ્રવ્ય પ્રાણ અને ભાવ પ્રાણ. પાંચ ઈદ્રિયો, મન, વચન અને કાયા એ ત્રણ બલ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય એ દસ દ્રવ્ય પ્રાણ છે. જ્ઞાન, દર્શનરૂપ ઉપયોગ તે ભાવ પ્રાણ છે. સંસારી જીવને અલ્પ અધિક બંન્ને ભાવ છે. મુક્ત જીવને ભાવપ્રાણ છે. (૨) અજીવતત્ત્વ : ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ તથા કાળ તે અજીવતત્ત્વના ભેદ છે. પરમાણુ, સ્કંધાદિ પુદ્ગલાસ્તિકાયના ભેદ છે. કુલ પાંચ ભેદ છે. (૩) પુણ્ય : જે કર્મના ઉદયથી જીવને સુખનો અનુભવ થાય તે દ્રવ્યપુણ્ય છે. જીવના શુભ પરિણામ દયા, અનુકંપા આદિ ભાવપુણ્ય છે. (૪) પાપ ઃ જે કર્મના ઉદયથી જીવ દુઃખનો અનુભવ કરે તે દ્રવ્યપાપ છે. અને તે સંયોગોમાં જે પરિણામ થવા તે ભાવપાપ છે. સ્વરૂપ અવલોકન Jain Education International For Private & Personal Use Only ૧૪૧ www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy