SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યકત્વના પાંચ ભેદ : (૧) ક્ષાયોપશિમક સમ્યકત્વ ઃ જે કર્મના ઉદયથી જીવને નવતત્ત્વો પર શ્રદ્ધા થાય છે તેને સમ્યકત્વમોહનીય કહે છે. જેમ આંખ પર ચશ્મા લગાવવાથી જોઈ શકાય છે. નજરને અવરોધ નથી આવતો. તેમ આ કર્મ આવરણરૂપ હોવા છતાં શુદ્ધભાવ હોવાને કારણે જીવની તત્ત્વાદિ શ્રદ્ધામાં બાધક થતું નથી. વ્યવહાર શ્રદ્ધા તે સમ્યકત્વમોહનીય છે. વ્યવહારથી છૂટી નિશ્ચયધર્મથી સ્વયં શ્રદ્ધા પ્રગટે ત્યારે ક્ષાયિક સમ્યકત્વ થાય. ચાર અનંતાનુબંધી કષાય તથા મિથ્યાત્વમોહનીયના ક્ષય ઉપશમથી તથા સમ્યકત્વમોહનીયના ઉદયથી આત્માને જે પરિણામ થાય છે તે ક્ષયોપથમિક સમ્યકત્વ છે. ઉદયમાં વર્તતાં કર્મોનો ક્ષય અને જે ઉદયમાં નથી આવ્યાં, સત્તામાં છે તેનો ઉપશમ, તેથી તે મિથ્યાત્વમોહનીયનો ક્ષયોપશમ કહેવાય. મિથ્યાત્વના ઉદયકાળ પ્રદેશબંધ હોવાથી તે કર્મોનો પ્રદેશોદય હોય છે તેથી ઉદયમાં આવતાં પહેલાં ખરી પડે છે. આત્મગુણને ઘાતક નથી. રસોદય આત્માને અસર કરે છે. પ્રદેશોદયને સામાન્ય સમકિતી દબાવી શકે, રસોઇયને ક્ષાયિક સમકિતી દબાવી શકે. ક્ષાયિક સમ્યકત્વ ઃ સમ્યકત્વના ઘણા ભેદ પૈકી મુખ્ય બે ભેદ છે. વ્યવહાર સમકિત અને નિશ્ચય સમકિત. નિશ્ચય સમકિત કેવળ ક્ષાયિક સમ્યકત્વ છે. બીજા વ્યવહાર સમકિત છે. જેમકે કુદેવ-ધર્મનો ત્યાગ કરી સતુદેવ, ગુરુ ધર્મની શ્રદ્ધા અને માર્ગમાં પ્રવર્તવું તે વ્યવહાર સમકિત છે. તેના ઉત્તરોઉત્તર વિકસતા પરિણામોથી આત્મજ્ઞાન સ્થિર થાય તે નિશ્ચય સમકિત છે. વળી મિથ્યાત્વાદિ ત્રણ મોહનીયનો ક્ષય થતાં જે પરિણામ વિશેષ તે ક્ષાયિક સમ્યકત્વ છે. (૩) ઔપશમિક સમ્યકત્વ : અનંતાનુબંધી ચાર કષાય અને ત્રણે મોહનીયની પ્રકૃતિઓના ઉપશમથી આત્માને જે પરિણામ થાય તે ઔપશમિક સમ્યકત્વ છે, તે જીવને અગિયારમે ગુણસ્થાન સુધી હોય છે. અને ચોથા ગુણસ્થાનકથી વર્તે છે. આખા ભવભ્રમણમાં ચાર પાંચ વાર આ સમ્યકત્વ સ્પર્શે, તે પછી તો જીવ અવશ્ય મોક્ષગામી થાય. આ સમ્યકત્વનો ઉદય હોય ત્યારે બે ઘડી કે અંતર્મુહૂર્ત ૧૪૦ સ્વરૂપ અવલોકન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy