SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્દેશની શુદ્ધિ સાથે યોગોની શુદ્ધિ થશે. જયાં સુધી પોતાને સુખ પ્રિય છે ત્યાં સુધી બીજાના સુખનો વિચાર કરવો. સુખથી પર થવા માટે સર્વસંગ પરિત્યાગ કરવો, નિવૃત્ત થવું. ત્યારે સાધુતા, મુનિપણું પ્રગટે. ધર્મનું આરાધન સહેલું છે, પણ ધર્મનો સમાર્ગ મળવો દુર્લભ છે. ક્ષયોપશમ સમકિતી પણ શુદ્ધિકરણ ન કરી શકે. ત્યાં વિવેક હોય છે, પણ મર્યાદિત બોધ હોય છે. તેમાંય ઉદયકાળ નબળો હોય તો ભાવનામાં શિથિલતા આવવા સંભવ છે. ગાઢ મિથ્યાત્વમાં તો વળી ધર્માધર્મનો કંઈ વિવેક જ નથી થતો. મોહનીયના ઉદયથી ઘાતકતા નડે છે. તપથી કર્મ નિર્જરા થાય તો આત્મશક્તિ વિકસે છે. શરીરને રોગ થયો તો સૌ ખબર પૂછે છે, પણ ર્મના મારથી આત્મા ભવરોગમાં પિડાય છે તેની જ્ઞાની સિવાય કોઈ ખબર પૂછતું નથી. મોહનીયનું જોર ઘટે તો આત્મા શુદ્ધ ઉપયોગમાં રહી શકે, અને જ્ઞાન, દર્શન, ચારિત્રને મુખ્ય કરી ધર્મ પામે. આવો મૂળધર્મ પામે તે નિર્વાણ પામી શકે. ચારિત્રમોહનીય ઘટવાથી કષાયો મંદ થવા માંડે. કર્મના ઉદય કાળને નિરર્થક કરતાં આવડે તો શ્રુતજ્ઞાન પ્રગટે. આત્મ શ્રદ્ધા વધે. વિચારહીન દશાથી જ્ઞાનદશાને અવરોધ થાય. જે પોતાને ધર્મ પમાડી શકે તે અન્યને ધર્મ પમાડી શકે. આજે જગતમાં સૌને ધર્મના નામે નામના પ્રિય થઈ પડી છે. પણ ફરીને નામ જ ન મળે, દેહ જ ન મળે તેવું કરવું પ્રિય નથી. તીર્થમાં જઈને શુદ્ધાચાર કરી શુદ્ધ થવાને બદલે ત્યાં પણ નામના સૂજે. કર્તવ્યદશા તીર્થમાં ન સૂજે તો કયાં સૂજશે? ભવભ્રમણ ઘણું બાકી છે તેવું ભાન થાય તો જીવ માર્ગસ્થ થઈ ધર્મ પામી જાય, સંસાર ટૂંકો થવો તે જ બોધિદુર્લભ ભાવના છે. એ મૂળ કર્તવ્ય છોડી જીવ ઘણી મહેનત કરે તોય ભવભ્રમણ ન ઘટે. ઘાતકર્મરૂપી ડુંગર કયાં નડે છે તે ન વિચારે, તો દર્શન કયાં પામશે? દરેક કર્મ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ આધારિત છે. બાહ્ય કર્મ એટલે બાહ્ય સંયોગ અને અંતરંગ ભાવના એટલે અહિંસાદિ ભાવ, તે સ્વ-પર કલ્યાણરૂપ હોય. દરેક ક્રિયા આત્મા સાથે સમયવર્તી છે. માટે સમયે સમયે ઉપયોગ રાખવા જ્ઞાની ભગવંતો આદેશ આપે છે. પરિષહ આદિને મૌન રાખી સહવા. મૌનની શક્તિ અંત સુધી કામ આપે છે. આત્મગુણોનો સ્વરૂપ અવલોકન ૧૩૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy