SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ સૂક્ષ્મનિગોદાદિ યોનિમાં સૂક્ષ્મ વિવેચનમાં પોતાને શ્રદ્ધા ન થાય તે મિથ્યા મોહનીય છે, અને તેથી શાસ્ત્રનો બોધ આચરણરૂપ ન બને. તીર્થકર દેવની વાણીમાં શ્રદ્ધા રાખી જીવે પોતામાં શ્રદ્ધા રાખવાની છે. આત્મા વર્તમાનમાં બંધનમાં છે પણ તે મુક્ત થઈ શકે છે તે શ્રદ્ધા થઈ. કર્મ સમભાવે ભોગવવાથી ખાપી શકે છે, તે શીઘ પૂરા થાય તેવો માર્ગ લેવો. સુખદુઃખની અસર થાય છે ત્યાં સુધી બંધન છે. સ્વસ્વરૂપની શ્રદ્ધા રાખી તેમાંથી મુક્ત થવાનું છે. નહિ તો પૂર્વે શ્રમ કરીને પુણ્યયોગે મેળવેલાં સાધનો જ ઠોર મારશે. જયાં સુખભોગની લાય લાગી છે ત્યાં સમ્યક્ ઉપયોગ કેમ રહે? દોષ જોતાં જોતાં ઘડપણ આવ્યું પણ એકે દોષ ઘટયો નહિ, તો કેમ છૂટાશે ? મોહનીયર્મથી છૂટવાનો બોધ આ જીવને અનંત જન્મથી પુદ્ગલની આરાધના કરવાથી આત્મારાધન કઠણ થઈ પડયું છે. આત્માની અનંત શક્તિ પ્રગટ થાય તેવી આરાધના કરે, આત્મા પ્રગટે. તે માટે પ્રથમ દર્શનાવરણ ઘટાડવું જોઈએ. જ્ઞાનારાધન બદલે ક્રિયારાધન વધી પડયું છે. મન, વચન અને કાયા એ ત્રણે યોગોને સ્થિર કરવાના છે. આત્માનું મુખ્ય ધ્યેય મોક્ષ-સાધના છે. તે માટે તેને યોગ્ય સક્રિયા જ કરવી જોઈએ. ઉદયકર્મ પ્રમાણે પુરુષાર્થ કરે તેમાં આત્મશક્તિ ન પ્રગટે. સચેત અવસ્થામાં ધર્મ કરવા લાયક છે. આ જીવ પાસે શું નથી? અને શું મેળવવા પ્રયત્નો કરી રહ્યો છે ? ક્ષાયિક સમકિત મેળવવાનો ઉત્કૃષ્ટ પુરુષાર્થ જોઈએ. ક્ષયોપશમ સુધી તો ધર્મમાં ભ્રાંતિ થવાની સંભાવના છે. ધર્મક્રિયામાં આત્મા શુદ્ધભાવથી જોડાયેલો જોઈએ, નહિ તો પુદ્ગલ ક્રિયા કરે અને ઉપયોગ પરમાં હોય તો ક્રિયા પૌદ્ગલિક ફળ આપે. ધર્મ ચિંતનરૂપ છે તેમાં હાલ કેવળ ઉત્સવ પ્રિયતા રહી છે, પણ ચિંતન વગર ઉત્સવ શું ફળ આપે? દેહની મહેનત જડ છે તે શું પરિણામ આપે ? તે આત્મા પાસે કેમ પહોંચાડે ? જે વસ્તુ ત નિકટ છે તેની પાસે પહોચવું છે તેને પ્રથમ જાણો, તેનો નિર્ણય કરો, તેને અનુરૂપ આચરણ કરો. પ્રથમ નિર્ણયમાં જ ભ્રાંતિ હશે, તો કરેલી મહેનત શું ફળ આપશે? જ્ઞાનગુણને પ્રગટાવવા માટે સતત સત્યાસત્યના નિરીક્ષણમાં રહેવું. ત્યાં જ્ઞાનને ધારણારૂપ કરવું. તો દેહમાં રહેલા આત્માની શકિતનું ભાન થશે. સ્વરૂપ અવલોકન ૧૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy