SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ રીતે પ્રારબ્ધ ઉદયમાં આવે તેને તે રીતે પણ શુદ્ધ ઉપયોગથી પૂર્ણ કરે. અવધિજ્ઞાન હોવા છતાં તેનો ઉપયોગ કશું જોવા જાણવા માટે ન કરે. પશુનો પોકાર સાંભળી દીક્ષાનો સમય પરિપકવ થયેલો જાણી જંગલની વાટ લીધી અને રાજીમતીને પણ ભારે આંચકો આપી રાગની ગ્રંથિ તોડાવીને માર્ગની અધિકારિણી થવામાં સહાય કરી. જૈન ધર્મમાં આહારપાણીની સૂક્ષ્મતા છે. સાચો શ્રાવક એવા વજર્ય આહાર પાણી ન લે. માદક પીણાં, કંદમૂળ વિકાર ઉત્પન્ન કરવાવાળા છે. જંગલમાં રહેતા તાપસી કંદમૂળનો આહાર, ગાંજો, ચલમ જેવા પદાર્થોનો ઉપયોગ કરે છે. પરંતુ ઉત્તમ ઋષિઓ તેનો ઉપયોગ ન કરતાં. મન, વચન, કાયાના યોગને શુદ્ધ રાખવા આહારની સૂક્ષમતા ઉપયોગી છે. શતાવેદનીયના ઉદયમાં સમતા વર્તે છે. તેને એવી દઢ કરવી કે સાધુદશા સુધી લઈ જાય. પુદ્ગલમાં પોતાપણાની ભ્રાંતિ કાઢવી તે સમતા, પુદ્ગલભાવને સહજ રીતે શમાવ્યો તે શાતા. પુદ્ગલને સાચવવાનું વેદન તે પૌલિકભાવ છે. તેનાથી કેમ છૂટું તે મુખ્ય વિચારવાનું છે. શાતા વેદનીયમાં મોહનીયનો ભાવ છે તેથી પુલમાં સુખનો ભ્રમ થાય છે અને દેવગતિ જેવા નિયાણા કરવા જીવ લલચાય છે. માટે શાતામાંથી સમતામાં રૂપાંતર કરવું. દેવગતિમાં શાતાવેદનીય છે. મનુષ્યને શાતાની અશાતા બંને હોય છે. તિર્યંચમાં પ્રાય અશાતા છે. નિગોદ અને નારકમાં તો અશાતા વેદનીયનો જ ઉદય છે. સમકિતી સુખ-દુઃખમાં સમાનભાવે વર્તે. સમતાભાવ ધારણ કરી દઢપ્રહારી જેવા હિંસાભાવથી સર્વથા મુક્ત થઈ ઉચ્ચગતિને પામ્યા. શાતા અશાતાથી પર થાય તે સાધુ ઈદ્રિય વિષય, કષાયો જીતે, પરિષહ, ઉપસર્ગ સહન કરનાર. - શ્રુતજ્ઞાન એટલે સમજનું દ્વાર. જ્ઞાનની નિર્મળતાથી પુણ્ય ગૌણ થઈ જાય, સહજ ભાવે ભોગવાઈ જીવ મુક્ત થાય. પાર્શ્વનાથ પ્રભુ દેવભવમાં પોતાનાં ભાવિમાતાને જોવા ઉપયોગ મૂકી બાળસ્વરૂપે દર્શન આપે છે પણ માતા તો તે સમયે જિનદર્શનમાં લીન છે, તે જોઈ પ્રભુનો આત્મા આનંદ પામે છે. અને નમન કરે છે, અહીં મોહભાવ નથી, માતાની ધર્મભાવનાનું અનુમોદન છે. શાતા-અશાતા બંનેના વેદનમાં સમભાવ રહે ત્યારે સાચું શ્રાવકપણું સ્વરૂપ અવલોકન Jain Education International ૧૩૩ www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy