SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ તરત જ પાછો વળે તો તે બંધ નિકાચિત ન થવાથી ફેર પડે. પણ જો પાર્ક નિદાન કરે તો તો ભોગવ્ય છૂટકો થાય. ધર્મમોહ તે પણ દર્શન મોહ છે. પહેલાં સ્ત્રી પરિવારાદિમાં મોહ હતો હવે મને ધર્મના સાધન, ઉપકરણમાં, દહેરાસરમાં તેના વિધિ નિષેધમાં મોહ થયો તો તે પણ આશ્રદ્વાર છે. શ્રુતજ્ઞાનને બદલે આર્તધ્યાન થઈ જાય તો ચિત્તની અસ્થિરતા આવે. કષાયબુદ્ધિને દૂર કરવી હોય તો વૃત્તિને સત્ય અને મૌનમાં ફેરવી નાંખો. અંતર ચારિત્ર ઉજળું હોય તો સ્વાર્થ ન સૂજે. ખરેખર દરેક ધર્મનો આશય તો આત્માની અંતરંગ શક્તિને પ્રગટ કરવાનો છે. છતાં ધર્મના મોહથી મારો સંપ્રદાય કે પંથ જ સાચો એવો આગ્રહ સેવાય. દરેક આત્મા, આત્મધર્મ જ સાચો તેવો આગ્રહ રાખે તો ધર્મને નામે થતા ઝઘડા શાંત થાય. ધર્મ એ એકાંત અને સ્થિર તત્ત્વ છે. તેની સ્થિરતા પોતાના ગુણો પર અવલંબે છે. આત્માએ કોઈપણ સંયોગોમાં અસ્થિર થવાની જરૂર નથી. પુણ્ય કે પાપની કોઈપણ ક્રિયામાં વિકલ્પ સંકલ્પ થાય છે. તેમાં સ્થિરતા કયાંથી રહે? દહેરે કે ઉપાશ્રયે ધર્મારાધન કરે અને વ્યવહારમાં અધ્યવસાય બગડે તો કષાય મંદ ન પડે. કોઈપણ ક્રિયાનું રૂપાંતર થાય પણ અધ્યવસાય ન બગડે તો દર્શનમોહનીયનો ઉપશમ થાય. માટે વ્યવહારની કોઈપણ ક્રિયામાં કષાયને દબાવવા પ્રયત્ન કરવા. પ્રમાદથી ભૂલ થાય તો પણ સુધારવી. વ્યવહારમાં ખોટા કર્મમાં જવું ન હોય તો પછી ખોટાં કર્તવ્ય શાને કરવાં? અને તેવા કર્તવ્યને શા માટે ફરજ ગણવી ? અકસ્માત કોઈ સંયોગો ઊભા થાય તો સંકેલી લેવા. વિચારની શુદ્ધતા ન હોય તેથી અટવાઈ જાય છે. શુદ્ધતાથી શુદ્ધ લશે જનાર વિકટ પંથને કાપે છે. તેવા સંયોગોમાં પૈર્ય રાખે છે. મોહનીયનું સ્વરૂપ એવું છે કે મોઢે મીઠા અને પાછળ અદીઠા, સ્યાદ્વાદની રીત છોડીને એક જ વિચારથી બંધાઈ જવું અને પોતે કરે છે તે સત્ય જ છે એવું માનવું તે મોહનીયની પ્રકૃતિનો એક પ્રકાર છે. - ભગવાન મહાવીરના શાસનમાં અહિંસા ભાવ ઘણો વિકાસ પામ્યો. તીર્થકરો ક્ષત્રિયકુળમાં જન્મ ધારણ કરતાં. ક્ષત્રિયો માંસાહારી હોય પણ (વરબોધિ) સમકિતી જીવો તેવો આહાર ન જ કરે. શ્રી નેમિનાથ પશુનો પોકાર સાંભળી પાછા વળ્યા. ત્રણ જ્ઞાન સહિત તેવા જ્ઞાની હોય તો ય જે ૧૩ર. Jain Education International સ્વરૂપ અવલોકન For Private & Personal Use Only Www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy