SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ વિચારોની અનેક વણઝાર ચાલ્યા કરે છે. જ્ઞાનાદિ ગુણો અનંત હોવા છતાં એકાકાર છે. આત્મા ચારિત્રગુણ સાથે જોડાયેલો હશે તો તેની સર્વ ક્રિયા સત્ થશે. સામાયિકની વિધિને અંતે શું કહ્યું છે ? બત્રીસ દોષનું સંશોધન કહ્યું છે. સામાયિક હોવા છતાં શું ન કરવા જેવું કર્યું છે ? તેનું વારંવાર ચિંતન કરી સુધારણા કરવી. એથી દર્શનમોહનીય મંદ થશે. ઉલ્લાસ પરિણતિ રહેશે. અને પ્રમાદ સેવાશે તો અસંખ્યાતો કાળ નીકળી જશે. બંધન સમયે ચોથો કાળ હશે તો નીકળવાની બારી મળશે. વર્તમાનમાં કરેલો પુરુષાર્થ કયારેક કામ લાગશે. વર્તમાનમાં પરિણામ ન દેખાય તો નિરાશ ન થવું. સતત પુરુષાર્થ કરવો. જેથી ગાઢ થતાં દર્શનમોહનીયનું જોર શિથિલ થશે. ઘાતક રસનું પ્રમાણ ઘટશે. અર્જુન માળી જેવાએ એક દિવસમાં ઘોર હિંસા કરી હતી છતાં શુદ્ધ પ્રયત્નથી હિંસાનું મૂળ કારણ છેદી નાંખ્યું, અને અંદર રહેલી કરુણા જાગી ઊઠી. પ્રાયશ્ચિત કર્યું, અને નિર્ભય થઈ પરમ ભાવે પ્રભુ સન્મુખ થયો. તે પછીનું કાર્ય પ્રભુએ સંભાળી લીધું. માર્ગમાં તાડન પીડન સહન કર્યાં. અને સાથે શુદ્ધ ભાવે પ્રાયશ્ચિત કર્યું પછી કેટલી ક્રિયા બાકી રહે ? અસાધ્ય એવાં કર્મોને પણ મહા સમભાવે, પ્રાયશ્ચિતથી ખપાવી દીધાં. આ પંચમકાળમાં તેવા શરીર અને મનનું બળ નથી. આથી ભવિ જીવો મહાવિદેહમાં જવાની ભાવના કરે. ત્યાં જ્ઞાનીનો સાક્ષાત યોગ હોવાથી પ્રમાદ કષાય ઓછા થાય, નષ્ટ થાય, વિવેક જાગે. મુક્તિ થવી બાકી છે તેથી તે ક્ષેત્રને ઈચ્છવો પડે. પરંતુ આ જન્મમાં યોગ્યતા થઈ હશે તો તે ક્ષેત્ર મળશે. જીવની દેહ પ્રકૃતિ (ભાવ) ઘટી કે નહિ, ન ઘટી તો શું કરીશ ? શક્તિને આત્માર્થે કેમ વાપરીશ ? દર્શન મોહનીયની એટલી વિચિત્રતા છે કે શક્તિશાળી જીવોને ભ્રમણા થઈ આવે છે કે જગતનાં સુખો ઈચ્છીશ ત્યારે મળી શકશે. નિદાનથી જગતનું ધાર્યું સુખ મેળવી શકીશ. આથી ઘણા કષ્ટ સહન કરે, ઉગ્ર તપશ્ચર્યા કરવા છતાં શુદ્ધ દર્શન પ્રાપ્ત ન થાય. દર્શનમોહનીય ઉદયમાં આવ્યું તે જાણી ન શકે. ભવાંતરથી છૂટવા તપ વગેરે કરે છતાં દર્શનમોહનીય આવા ભૂલાવામાં નાંખી દે. નિદાન કરીને સ્વરૂપ અવલોકન Jain Education International For Private & Personal Use Only ૧૩૧ www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy