SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ આવે. આવી યોગ્યતા અસંભવ નથી આપણા સમભાવથી આપણા મન, વચન, કાયાના યોગો અસર પામશે તો અન્યને તે લાભ કરતા થશે. પરંતુ સામાયિક જેવી ક્રિયાથી આપણા યોગો શુદ્ધ ન થાય તો બીજાને શું અસર થાય ? મિથ્યાત્વી જીવોની કેટલીક ક્રિયાઓ આકર્ષક હોય. પરંતુ તે સાધુતા નથી, પરભાવથી દૂ૨ રહેવું તે સાધુતા છે. લૌકિક ભાવથી કરેલી ધર્મની ક્રિયા કેવળપુણ્યના લોભે થાય તો જીવ મુક્ત ન થાય. જૈન ધર્મનો મહાન સિદ્ધાંત છે કે સર્વ જીવ મોક્ષનો અધિકારી છે. સાધક જીવના સૂક્ષમાતિ સૂક્ષ્મભાવ પણ ભોગ્યને યોગ્ય નથી. તેથી જીવન નિર્વાહની નાનામાં નાની ક્રિયામાં પણ અહિંસાને પ્રયોજી આહારાદિના સૂક્ષ્મ ભેદો દર્શાવ્યા. જીવમાં મારા-તારાપણાનો ભેદ છે તે જ્ઞાનીઓને દૂર કરાવવો છે. અને અભેદભાવ સ્થાપવો છે. દૃષ્ટપ્રહારી જેવા અત્યંત હિંસાયુક્ત પરિણામી જીવને એકાએક મહાવિરતિનો ભાવ કયા અભ્યાસથી ઉત્પન્ન થયો ? પૂર્વનું આરાધન સહાયરૂપ થયું. તે ઉદયમાં આવતાં પહેલા પૂર્વનું પાપ ખપાવી દીધું. અને આત્મ પરિણામ જાત્યાંતર પામ્યું. તેણે સમતાને દૃઢપણે આરાધી. સમતાભાવને એકે એક ઈંદ્રિયના વિષય સાથે જોડેલો રાખો. તે માટે સામાયિક જેવી ક્રિયામાં આસન, મુદ્રા જેવી ક્રિયા કરી ચિત્તશુદ્ધિ કરવી જેથી ચિત્ત અન્ય વૃત્તિમાં ન જાય. જે જે ઈંદ્રિય વિષયમાં ક્ષતિ થાય તેને શાંત કરી આગળ વધવું. તો સંસાર ટૂંકો થાય. અને થોડો કાલ બાકી રહે તો મહાવિદેહ જેવા ક્ષેત્રે જઈ પૂરો કરી જીવ મુક્ત થાય. મોહનીયકર્મ આઠ કર્મોમાં મોહનીયકર્મ ચોથા કર્મમાં છે. છતાં આ કર્મની સર્વ કર્મોમાં મુખ્યતા કહી છે. મોહનીયકર્મના પ્રભાવે કે પ્રતાપે બીજા કર્મો ટકી રહે છે. તેમાં પણ સમગ્ર સંસાર આ કર્મની જાળમાં ફસાયેલું છે. આ કર્મના ઉદયમાં જીવને પોતાના સ્વરૂપની શ્રદ્ધા કે ગુણો પેદા થતા નથી. આત્મામાં રહેલા વિવેકાદિ ગુણોમાં ભ્રમ પેદા કરાવી પરપદાર્થોમાં સુખબુદ્ધિ કરાવનારું આ કર્મ મહાબળવાન છે. મહા પરાક્રમી, આત્મબળવાળા જીવો જ તેને જીતી શકયા છે. સર્વ કર્મમાં મોહનીયકર્મ હણાયું કે બીજા કર્મો પણ નષ્ટ થાય છે. આત્મગુણોને આવરણ કે ઘાત કરનારું આ ઘાતીકર્મ સ્વરૂપ અવલોકન ૧૩૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy