SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ સુખી થવાય તે લૌકિક લાભ છે. સંહારક શક્તિવાળા દેવની માન્યતા રાખી હિંસાનાં કામો કરો, બીજાને મારીને સુખી કેવી રીતે થવાય ? આધ્યાત્મિક આચારવાળો જીવ અત્યંત દેવની આરાધના કરી પોતાના કર્મરૂપી શત્રુને મારે છે અને આત્મદશા પામવા ઈચ્છે છે. પોતાના અંતરમાં દ્વેષ ઉત્પન્ન થાય તેથી અન્ય જીવ પ્રત્યે અહિત બુદ્ધિ થાય. આથી દ્વેષ બુદ્ધિ જાય તો રણક્ષેત્રે પણ રાજાઓને સાધુતા-વૈરાગ્ય આવતો. શરીર મરવાનું કારણ જે કર્મો છે તેનો નાશ થવો જોઈએ. કેવળ દૈહિક સુખ માટે એવા દેવદેવીનું સ્થાપન કરી તેમને માનવા તે મિથ્યાત્વ છે. શત્રુભાવ નાશ પામશે ત્યારે જીવ કયા શત્રુનો સંહાર કરવા તપ્તર થશે ? તેને શત્રુ . મિત્રના ભેદ જ નહિ હોય. રણક્ષેત્રે જીવન ખોઈને યશ મેળવવો તે ક્ષત્રિયપણું કહેવાય છે. પરંતુ જીવનરૂપી સંગ્રામમાં મિથ્યાજ્ઞાનથી કર્મોનું આવવું તે રણ સંગ્રામ છે. તે રણક્ષેત્રમાં વીરતા દાખવવાની છે. તીર્થંકરદેવના સમોસરણમાં પશુઓ પણ જન્મવેર ભૂલી મિત્રભાવે બેસે છે, તે સમયનો નિર્મળ ભાવ ટકી જાય પછી શત્રુ સાથે રહેતો હોય તો પણ નિર્ભયતા આવે છે. મુનિદશા તે જીવન સંગ્રામ છે. અનેક વૃત્તિઓનો નાશ કરવા માટે જાગૃત થઈ જીવવું પડે છે. એવો ભાવ આવે ત્યારે નમો અરિહંતાણં જેવા મંત્રની સાધનાને યોગ્ય બની શકાય, તે સિવાય દર્શન મોહનીય કાઢી શકાતું નથી. સ્વયં પુરુષાર્થથી જીવન પરિવર્તન કરવું જોઈએ, ત્યારે કંઈક સત્યનો સાક્ષાત્કાર થાય. શાસ્ત્રમાં કથા આવે છે. લડાઈમાં જતાં ભક્ત રાજાઓ મૂર્તિને શરીરના કોઈ ભાગમાં બાંધી લેતા. લડાઈ નિવારી ન શકતા ત્યારે પોતાના શત્રુ સાથે લડવું પડતું. તેમાં શત્રુને વિસ્તૃત કરવા અહિંસક ભાવમય મૂર્તિ રાખતા. અને રણમાંથી નિવૃત્ત થતાં એ યુદ્ધમાંથી છૂટવાની ભાવના કરતા. જો કે યુદ્ધ કરી વધુ પ્રદેશો જીતવાની આસક્તિને રોકી ન શકવી એ ઘેલછા છે. ઈર્ષા સ્પર્ધાને દૂર કરવાની છે. તે મોહનીયનાં લક્ષણો છે. પૂર્વે પુણ્ય બાંધતાં ન આવડયું હોય તેથી પાપાનુબંધી પુણ્યમાં જાય. પુણ્ય ભોગવાઈ જતાં પાપની સીમા ન રહે. દરેક જીવ પ્રત્યે સમભાવ રાખવાનું અત્યંત પ્રભુએ સૂત્ર બતાવ્યું છે. જૈનધર્મ કે કુળ મળવા માત્રથી ૧૨૮ Jain Education International For Private & Personal Use Only સ્વરૂપ અવલોકન www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy