SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મજ્ઞાન થતું નથી. ચૌદપૂર્વનો સાર નવકારમંત્ર છે. નવકારનો સાર અરિહંત છે અને તે પદના આરાધનનો સાર સિદ્ધ છે. એટલે અરિહંત સિદ્ધના અનંત જ્ઞાન દર્શન ગુણમાં ચૌદ રાજલોક સમાઈ જાય છે. બાહુબલીજી માનથી નીચે ન ઊતર્યા કેવળજ્ઞાન ન પગટયું. આપણે કેટલા કષાયથી ઘેરાયેલા છીએ. માન અંતરંગ હાથી છે. દ્રવ્યથી હાથી પરથી તો થાકીને મનુષ્ય ઊતરે. આ અંતરંગ માનરૂપી હાથી પરથી ઊતરવા માટે જ્ઞાનબોધ જોઈએ. પશુતાની વૃત્તિથી જેટલો હારતો નથી તેટલો માનવ માનમોહથી પાછો પડે છે. અહિંસાભાવથી દર્શનમોહ જાય છે. મમત્વ એ જ જંજાળ છે. દેવકૃત કંઈ શક્તિ કે સુખ મેળવેલું હશે તે નષ્ટ થવાનું છે. પણ સ્વયં પુરુષાર્થથી મેળવેલું સિદ્ધપદ અનંત અનંત અવ્યાબાધ સુખ છે, તે અવિનાશી છે. જીવ પોતાના વિભાવથી જ અજ્ઞાનનો સંગી છે. અને તે અજ્ઞાનની યુક્તિ વડે જીવે છે તે ભ્રાંતદશા છે. મિથ્યાચાર છૂટે અને પોતાને પોતાના સ્વધર્મનું ભાન થાય તો જીવને મિથ્યાત્વી કોણ બનાવે? પૂર્વ આરાધનાને યોગે કવચિત મોહનીયના ક્ષયોપશમથી પોતાનું કર્તવ્ય સમજે છતાં ચારિત્ર મોહનીયની પ્રબળતાએ આચરણ કરી ન શકે. એટલે ત્યાગને બદલે ભોગ તરફ વૃત્તિ જાય, મુનિ હોય તોય પોતે ઉપદેશ કરે પણ અંતરંગ વાસના ન છૂટે. અને જ્ઞાન અજ્ઞાનરૂપે પરિણમે, બાહ્ય સંયોગના સુખની વૃત્તિ છૂટતી નથી. આમ ચાર અનંતાનુબંધી કષાયો અને ત્રણ દર્શન મોહનીયની પ્રકૃતિ ચારિત્રાવરણ કરે છે. તેનો નાશ કરવા પરમ પુરુષાર્થ જોઈએ. બારમે ગુણસ્થાને સ્થિર ચારિત્ર આવે. શુભ આશ્રવ થાય ત્યાં સુધી પણ અધ્યવસાયના બદલા જેવું છે, સ્થિરતા ન આવે ત્યાં સુધી દ્રવ્ય ચારિત્ર કહેવાય. બારમે જ ભાવચારિત્ર સ્થિરતા પામે. ક્ષાયિક ભાવે થાય. કરકંડુ રાજા પોતાના ભાઈ સાથે યુદ્ધમાં જોડાય છે ત્યારે તેની માતા સાધ્વી તેને સમજાવે છે. હે પુત્ર! હિંસા કરી કયો જય પામીશ? પુણ્યનો ક્ષય થાય પછી પાપ જ ઉદયમાં આવશે. જિન ભગવંતોએ કોની સાથે યુદ્ધ કર્યું? કોની સાથે વિજય મેળવ્યો? પુણ્ય મળેલી રિદ્ધિ પુણ્યથી જ સચવાય. પાપાનુબંધી પુણ્ય થોડા સમયમાં નષ્ટ થાય. અંતરંગ કર્મોનો સમૂહ યુદ્ધ માટે છે. સ્વરૂપ અવલોકન ૧૨૯ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy