SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ તેનાથી બળવાન પુરુષાર્થ જોઈએ. ત્યાં વ્યવહાર કે કોઈપણ ક્રિયા અશુદ્ધ ન ચાલે અશુદ્ધિને કારણે શુદ્ધ સમક્તિ પ્રાપ્ત ન થાય. આત્મભાવ એટલે શું? પુગલભાવથી વિરક્ત થવું તે આત્મભાવ. દ્રવ્ય શુદ્ધિ કરતાં ભાવશુદ્ધિમાં વધુ ઉઘાડ છે. ક્ષાયિક સમકિતીને કઈ વિધિ કરવી પડે છે. ? આત્મ સ્થિરતાના ભાવની પ્રબળતા હોય છે. ચિલાતી પુત્રે કન્યાનું ડોકું કાપ્યું, મોહને કારણે મહાન હિંસા કરી, છતાં તરત જ જ્ઞાનનો યોગ મળ્યો, તેના બોધને પામ્યો તેનું શું કારણ? પૂર્વ જીવનમાં મહાન સાધુપણું પામેલો. વિરાધનાને કારણે આ જન્મમાં પ્રારબ્ધ ઉદયમાં આવ્યું, તે અતિ તીવ્ર વેગે આવ્યું. જેવી વિષમતાની તીવ્રતા ક્ષીણ થઈ, તેવી સમતાની તીવ્રતા ઉદયમાં આવી. છ છ માસ સુધી ઉપદ્રવ સહ્યા, અને તેનાથી શુદ્ધ થઈ મુક્ત થયા. અનાદિનાં કર્મો નષ્ટ કરવા અનંતાળ જોઈએ અને ન પણ જોઈએ. જ્ઞાની સંક્રમણ કરીને ઘણાં કમોંને ભોગવી લે. આવા મહાશક્તિવાન આત્માઓને કઈ ક્રિયા કરવી પડતી હશે ? તેઓ ર્મના રસનું શોષણ કરી લે છે, આથી ર્મ લુડું પડી જતાં છૂટી જાય છે. કર્મથી શીધ્ર મુક્ત થવાની આવી રીત છે. શુદ્ધ આત્મધર્મને પુદ્ગલધર્મ સાથે જોડી દઈ ધર્મનો ભાસ સેવાય છે. રાત્રીએ ખાવ તો મહાપાપ લાગે અને દિવસે દસવાર ક્રોધ થાય તો શું થાય ! આત્મભાવમાં સ્થિર કરે તે સક્રિયા અને પુદ્ગલભાવને વધારે તે મિથ્યાક્રિયા. એની ભૂમિકા માટે જ્ઞાનીઓએ ચૌવિહાર, વિગઈ ત્યાગ, દાનભાવ વગેરે કર્તવ્ય મૂક્યા છે. તેમાં ઘણો વિપર્યાસ ઊભો થયો છે. | દર્શનશુદ્ધિ માટે દર્શનાચાર ઃ દર્શનાચારના આઠ આચાર છે, તે દર્શન મોહનીય જવા માટે છે, પહેલો આચાર નિઃશંકતા છે. દર્શન મોહનીયનું આવરણ ઘટે ત્યારે નિઃશંકતા આવે. કઈ ક્રિયાથી કયું કર્મ બંધાશે, ને કેવી ગતિ થશે તેની દશા ન સમજાય ત્યાં સુધી સામાન્ય દર્શન કે વિશેષ દર્શનના ભેદની સ્પષ્ટતા થાય નહિ. ક્રિયાનું ફળ શા માટે? પરધર્મની મહત્તા જુએ. ધાર્મિક ક્રિયાના લૌકિક લાભ જુએ. અને તેથી પોતાની ક્રિયામાં શંકા રાખે, કે મને ફળ મળશે કે નહિ? કાર્યથી કારણ શોધો. કે જીવ શાથી સુખી અને શાથી દુઃખી? અમુક દેવ દેવીને માનવાથી સંસારમાં સ્વરૂપ અવલોકન ૧૨૭ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy