SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ચારિત્ર લીધું. પણ ભાવની કેવી નિર્મળતા, કેવી અપૂર્વતા કે કેવળ પ્રાયશ્ચિતના નિમિત્તથી જ્ઞાનદશાને પામ્યા. થોડો ક્ષયોપશમભાવ થાય તેમાં જીવ સંતુષ્ટ થઈ રાજી થઈ માનમાં આવી જાય તો આવરણ આવે. વ્યવહારમાં દાન પુણ્યનો વિષય છે, તે સાધન છે. ત્યાગ, સંયમ એ સાધ્ય છે. પુણ્ય પાપના ક્ષીણપણા માટે છે. અને અંતે તો બંને ત્યાગવા માટે છે. પુણ્ય છોડવાથી પાપ છૂટશે ? બંને મોહનીયના પ્રકારો છે. કર્તુત્વ મોહનીયનું છે અને ભોગતૃત્વ વેદનીયનું છે. ધર્મક્રિયાથી કર્મ ખપે છે તે ભાન ખોટું છે. ભાવક્રિયાથી જ ર્મ ખપે. જે તીર્થકર દેવો ચક્રવર્તીપણું પામ્યા હતા તેમણે કઈ રીતે તે પુણ્ય ભોગાવ્યું હશે. ભોગ ભોગવે અને કર્મ ન બંધાય? એક જ ભવમાં શાંતિનાથ પ્રભુ ચક્રવર્તીપણું પામી વળી અહંતપદને પામ્યા હતા. ભોગને કેવળ પૂર્વ પ્રારબ્ધ જાણી ભોગવી ઉકેલી નાખતાં, ત્યારે નિર્જરા થતી. ધર્મના નામે આટલી બધી મહેનત કરી જીવને પ્રશ્ન નથી થતો કે આ બધું કયા પુદ્ગલ મેળવવા માટે ? લોકો ધર્મ કહે તેનાથી પોતે ધર્મી છે તેવું માની લે છે. અંશતઃ પણ સાચી ક્રિયા કરે અને ભ્રાંતિમાંથી છૂટવાનો પ્રયત્ન કરે તો ધીરે ધીરે કર્મ પાતળાં પડે. દરેક કષાય પાછળ લોભની ઉત્તેજના છે. માન અને માયાને લોભ ટકાવી રાખે છે. ક્રોધી જીવ તિર્યંચગતિ પામે પણ લોભી જીવ તો નરકગામી જ બને. ધાર્મિક ક્રિયામાં પણ પુણ્યનો લોભ રહે છે ને ? વિચારીને વિરમવું. નરક એ દુઃખ અને સ્વર્ગ એ સુખ તે શાસ્ત્રિય સમજ થઈ. પરંતુ મિથ્યામતિ દેવો સ્પર્ધાદિથી પીડાય છે. તે સુખી છે? આત્મગુણનું અત્યંત દબાઈ જવું તે દુઃખ છે. મનુષ્ય સંયમમાં સુખ માની સુખને અનુભવે છે. ધર્મીને ધર્મની શું ક્રિયા કરવી પડે ? પૂર્વ પ્રારબ્ધને ક્ષીણ કરવા સંયમ કરવો તે તેમની ધર્મક્રિયા છે. લોભ અને લાલચ ધર્માભાસ છે. તપનાં અનુષ્ઠાનો સાધુતા કેળવવા માટે છે. કર્મ પુદ્ગલોથી સર્વ પ્રકારે ભિન્ન રહેવું તે પૂર્ણ બ્રહ્મચર્ય છે. સામાયિકની જો આવી મહત્તા હોય તો સાધુધર્મની કેવી મહત્તા હોય ! સામાયિક વ્રતની પરિપૂર્ણતાને કારણે પુણિયા અને આનંદ શ્રાવકો મહાશ્રાવક કહેવાયા. કષાયભાવથી આવરણ પર આવરણ ચઢતું જાય તો કેવલ્ય સુધી કયારે પહોંચાય ? જેવાં ગાઢ કર્મો હોય ૧ ૨૬ Jain Education International સ્વરૂપ અવલોકન www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy