SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ આધાર રાખવો. વિવેક અને વિચારની વ્યવસ્થાના અભાવે આત્મા પાસે ઘણું કાર્ય કરાવવા છતાં આત્માની પરિણતિ શુદ્ધ કેમ નથી થતી ? ધર્મ ક્યાંથી મેળવી લેવો છે ? તીર્થમાંથી, પૂજામાંથી, સામાયિકમાંથી કે તપમાંથી ? વાસ્તવિક રીતે શુભભાવ માટે તે સર્વ બાહ્ય સાધનો છે. જો આત્મભાવમાં સ્થિરતા હશે તો બાહ્ય સાધનો સહાયક બનશે. શુદ્ધયોગ જ સદ્ધર્મ છે. એકાંતમાં બેસીને જીવ પોતાનું અવલોકન કરે તો તેમાં કયા સાધનની જરૂર પડે ? તે ન બની શકે તો શુભ નિમિત્ત લે એટલે શુદ્ધ ક્રિયા કરે. શુભભાવથી શુભ નિમિત્તે કરેલી ક્રિયાથી ગમે તેવા દેવલોક મળે તો ય ત્યાં આત્માને રોકાવું પડે છે. શુદ્ધ ઉપાદાન વડે આત્માને શુદ્ધ પરિણતિએ સ્થિર રાખવો. કર્મના ઉદયકાળે તેને આધીન ન થવું. તે ર્મના ભોક્તા થયા વગર કર્મને દૂર કરવાનું છે. ઈંદ્રિયની કોઈ તાકાત નથી કે તે ધર્મ રાવી દે. પરંતુ ક્રિયાકાંડ એટલા પ્રમાણમાં વિક્સ્ટ્રા છે કે આત્માનો વિચાર કરવાનો સમય જ નથી રહેતો, જો અવલોક્ત થાય તો તપને અંતે ર્મ બળવાને બદલે ક્રોધ જેવી પ્રકૃતિ કેમ ઊઠે ? મનુષ્યમાં એવો વિવેક આવે છે કે સુખ સંયમમાં છે. શુભ અશુભ બંને ક્રિયાથી નિવર્તવું તે મોક્ષ છે. કેવળ પ્રવૃત્તિથી ધ્યેય સિદ્ધ થતું નથી. પરભાવના નિવૃત્તિ ધર્મને મહાચારિત્ર કહ્યું છે. તેવા જ્ઞાનીનો મેળાપ થવો દુર્લભ છે. શાતા-અનુકૂળતાએ સુખ અને અશાતા-પ્રતિકૂળતાએ દુઃખ એવી કલ્પનાથી જીવે, તો પરિષહ કે ઉપસર્ગમા દુઃખ ઉપજે. સમભાવે તેનું પાલન ન થાય. પ્રભુ જેવા મહાન આત્મા તપની આગળ-પાછળ શું અનુકૂળતા જોતા હતા ? સહજપણે તપ થતું, તે પૂર્વ પ્રારબ્ધને ક્ષીણ કરતું. તેવા તપનું સ્મરણ કરતાં ભાવ નિર્જરા થઈ પુદ્ગલ તરફથી આસક્તિ દૂર થાય. વિતરાગની વાણીને શ્રુત કેવળીઓએ ગ્રંથોમાં ગૂંથી તેમાં દરેક જીવો ધર્મ પામી શકે તેવું રહસ્ય મૂકયું. પણ ઉપદેશકો સમૂહને વર્ષોનાં વર્ષો સુધી બાળક સમજીને, અપરિપકવ સમજીને બોધ આપે પણ ઉપદેશ સમજાય તો જીવ પરિપકવતા પામે. અતિમુક્ત કુમારે આઠ વર્ષની વયે સ્વરૂપ અવલોકન Jain Education International For Private & Personal Use Only ૧૨૫ www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy