SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ આવે છે. છતાં પણ જો માન, યશ જેવી પ્રવૃત્તિમાં જોડાય તો જ્ઞાનની ગતિ વધવાને બદલે જ્ઞાનાવરણ થાય કે મોહનીય કર્મ બંધાય. કારણ શેષ કર્મબંધનો સત્તામાં પડયા હોય છે. તે સર્વ પુગલ સંબંધોને દૂર કરવાના છે. જીવ એમ વિચારે કે હું કોઈના કે આ દેહના હિત માટે સંસારમાં નથી રહ્યો. પરંતુ કેવળ આત્માર્થે જ જન્મ્યો છું તેવા જ પુરુષાર્થમાં રહે તો ક્રમે ક્રમે ક્ષાયિકભાવ પ્રગટે. પરિહાર વિશુદ્ધિથી પુદ્ગલની શુદ્ધિ છે. જીવ સૂક્ષ્મ કષાયભાવથી છૂટે ત્યારે આત્મ સ્થિરતા તરફ વળે છે. દર્શનમોહનીયની મંદતા થાય ત્યારે મનની સંકલ્પ શક્તિ આવે. સામાન્ય સાધનથી પૂજા થાય પણ ભાવરૂપી સાધનથી મહાપૂજા થાય. વધુ સૂક્ષ્મ સાધનથી મહાપૂજા થાય પ્રથમમાં સાધનનો મહિમા વધે, પણ મહાપૂજા એટલે તો મહાયાગ અને મહાયોગ (વિધાન) તે મહાત્યાગ છે. એવો મહાયાગ અને ત્યાગ પ્રભુ કરતા. તે ત્યાગમાં મહાન ઉપકાર હતો. તે ત્યાગથી સંબંધો છૂટતા. પરપદાર્થ માટે થતી ક્રિયા ફળ નીપજાવે. બાહ્ય ક્રિયા ચિત્તની એકાગ્રતાનું સાધન ન બને. જ્ઞાની તેથી જ એકાંતમાં વસતા અને મધ્યરાત્રીએ એકાંતમાં ધ્યાનમાં રહેતા. દિવસે જગતના જીવોનું કલ્યાણ કાર્ય કરે. અને રાત્રિ સ્વસ્થતાથી ધ્યાનમાં ગાળે. દેવગુરુની અપૂર્વ શ્રદ્ધા ઃ દર્શનમોહનીયના કારણે જીવને દેવગુરુ ધર્મની સાચી શ્રદ્ધા થતી નથી. ગમે ત્યાં દોરવાઈ જાય. ગુરુ મળે, ધર્મ મળે પછી આત્મદર્શન કેમ ન થાય? વિકાર, દોષો ઓછા કેમ ન થાય ? ઈચ્છા શક્તિ કેમ છૂટે નહિ? શા માટે ક્ષાયિકદર્શન ન પામું? આવી પૃચ્છા થવી જોઈએ. જીવન સાથે જેવો પ્રાકૃત સંબંધ છે તેવો કર્મગ્રંથના અભ્યાસમાં રાખવો. અને સૂક્ષ્મ વિચાર વડે સ્વરૂપની દૃષ્ટિ કેળવવી. પ્રાચીનયુગમાં ગ્રંથો ન હતા ત્યારે સ્મૃતિ દ્વારા જ્ઞાનસંગ્રહ થતો. જ્ઞાન એ આરાધનારૂપે થતું, સરળતા હતી. એ આરાધના કરીને સંસારથી છૂટવાનું હતું. આત્માની ગુણ પ્રકૃતિ છે તે શા માટે અવગુણરૂપ થઈ ગઈ? ચારિત્ર લઈને પણ પુદ્ગલ સંબંધની ઈચ્છા રાખી? એવી આત્મવંચના કેમ થઈ ? અતિ ધર્મ પ્રવૃત્તિ કરે, પુણ્યને એકઠું કરે અને વ્યય કરે તેમાં જ્ઞાન ન પ્રગટે. આત્માર્થે જે ગુણની સ્થિતિ નથી થઈ તેનું વ્યવહારમાં પાલન ન થાય. શરીર પર આધાર રાખવાને બદલે આત્મઉપયોગ પર | સ્વરૂપ અવલોકન ૧ ૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy