SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ સામાન્ય છે. મહા મોહને કાઢવા મહા પ્રયત્ન જોઈએ. આપણા સામાન્ય પ્રયત્નોથી આવરણ ઘટે, કષાય મંદ પડે. જ્ઞાનદર્શનની વિશેષ શુદ્ધિ એકાવતારીપણા સુધી લઈ જાય. શાસ્ત્રના સિદ્ધાંતને પોતાની મતિ કલ્પનાએ સમજે તો તેમાંથી મતિજ્ઞાનાવરણ આવે. તે જ પ્રમાણે શ્રુતઆવરણ આવે અને પોતાની માન્યતા પ્રમાણે બીજાને પ્રેરે તો ચારિત્ર આવરણ આવે. મોહનીય કર્મના પ્રબળ ઉદયથી સંસારને અસાર સમજે તો પણ છોડી ના શકે. જો કર્મનો ઉદય હલકો હોય અને તે સમયે પુરુષાર્થ કરે તો જીવન પરિવર્તિત થઈ જાય. પ્રત્યેક કર્યાવરણની સમજ માટે કર્મને આઠ પ્રકારે જુદા પાડી સમજાવ્યા છે. તેમાંય મોહનીયથી ચૂક્યો તો બધાં કર્મો ઘેરી વળે. જીવ અવિરતિ હોય પણ કષાય મંદ પડે તો તો તેનું જોર બહુ ચાલતું નથી. ચંડકૌશિક જેવા સર્પને પ્રભુએ પ્રતિબોધ કર્યો અને કર્મ ખપી ગયું. જ્ઞાનીનો યોગ હતો. મહા સહનશીલ જીવ હતો, શરીર ચારણી જેવું થઈ ગયું. દેહાધ્યાસ અને અહમ્ ગયો પરિણામે શુભ ગતિને પામ્યો. કષાયની રમતો બાહ્ય રીતે કદાચિત શુભ કાર્ય કરાવે, કષાય મંદ પડે પણ ક્ષય ન થાય. જીવ મહારોગમાં જેમ મૂંઝાઈ જાય છે તેમ અઘાતી કર્મના જોરમાં મૂંઝાઈ જાય છે. જડતાભાવ તે જ બંધન છે. યોગમાં ગયેલા જીવ મોહની પ્રબળતાથી નિયાણું બાંધી સંસારમાં લાંબો કાળ ગાળે છે. મોહનીયનું આ કેવું રૂપ છે? યોગો કષાયના સંબંધમાં આવે છે ત્યારે જ્ઞાનગુણ અદૃશ્ય થઈ જાય છે, શતાવેદનીયથી સંસારમાં સુખ લાગે છે. જગતના પદાર્થનું ખરું સ્વરૂપ સમજાઈ જાય તો બંધન નથી થતું. શુભકર્મથી જ્ઞાનાવરણ દર્શનાવરણનો ક્ષયોપશમ થાય પણ ક્ષાવિકભાવ ન થાય. દર્શનમોહનીયનો ઉદય દૂર થાય ત્યારે સંસાર પ્રત્યે નિષ્ક્રિયતા થાય, પ્રવૃત્તિનો બોજો પણ ન હોય. તત્ત્વાર્થે તત્ત્વ નિરૂપણ પરગુણે કાર્યકારી નથી, સ્વગુણે છે. મરણ પછી જીવન મળે તે ધર્મ નથી. મરણ એ મરણ જ રહે તે નિર્વાણ છે. જૈનદર્શન કેવળ સામાયિક, તપ, વગેરેથી ખીલતું નથી. શાસ્ત્રબોધની એ પદ્ધતિ નથી. કષાય રહિતપણાથી દર્શન ખીલે છે. જ્ઞાનનું ફળ કોઈ બાહ્ય ક્રિયા નથી, તેમાં તો પરમશાંતિનો અનુભવ છે. કષાય રહિત જીવનની પ્રતીતિ સ્વરૂપ અવલોકન Jain Education International ૧૨૩ www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy