SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ નિશ્ચય હતો અને મુક્ત થયા. પુદ્ગલભાવમાં મહામોહનીયનો ઉદય હોય. ધર્મક્રિયાનાં સાધનો મુક્તિ માટે હોય તેને આશ્રવનાં સાધનો બનાવે, તેથી ધર્મ કરે તો ય રખડે. એક પુદ્ગલના મોહની પાછળ ધન, પુત્ર, પરિવાર, સત્તા, કીર્તિ કેટલાંય સાધનો ભેગાં કરી અસત્ કલ્પનામાં જીવે. શ્રુતજ્ઞાનની શુદ્ધિ હોય તો વ્યવહારમાં શુદ્ધિ રહે. રાગદ્વેષની પરિણિતને બળ આપનાર મોહનીય અને વેદનીય કર્મ છે. જાગૃતિ જ આ આવરણને કાઢી શકે. શાતા, અશાતા, વેદનીય દર્શનમોહનીયના આધારે હોય છે. તેના વેગને સમાવવો પડે. ચારિત્રમોહનીયના ઉદયથી શિથિલાચાર થાય. ચારિત્રમોહનીયથી ભ્રમિત થઈને પુદ્ગલના સુખને ઈચ્છે. ઈંદ્રિય નિગ્રહ કરીને કે તપશ્ચર્યા કરીને ચક્રવર્તીનાં સુખ ઈચ્છે. જ્ઞાન ન હોવાને કારણે આવો ભ્રમ થાય. અને સુખને બહાને કષાયો આવી ઊંડી જડ નાંખી જાય. ધર્મનાં સાધનો કષાયનાં સાધનો થાય. મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય થયા પછી કૈવલ્ય દશા પ્રાપ્ત થાય. તત્ત્વની સરૂપે પ્રતીતિ થવી તે આત્માનો ગુણ છે. તે પ્રતીતિનું આવરણ તે દર્શનમોહનીય છે. જ્ઞાન અને ચારિત્રરૂપ શુદ્ધિ તે આત્માનો ગુણ છે. તેનો ઘાત કરનાર ઘાતી કર્મો છે. ચારિત્રમોહનીયથી કષાયો જીવે છે. સાધનની શુદ્ધિથી ઉપશમભાવ સુધી પહોંચીને અગ્યાર ગુણસ્થાનેકથી પણ પડે છે. કષાયનો સંયોગ રહ્યો હોય અને જો આયુષ્ય તૂટે તો ભવાંતરમાં મિથ્યાત્વે જઈને અટકે છે. જ્ઞાનથી ચારિત્ર ઉત્પન્ન થાય તે સાતમે ગુણસ્થાનકે પહોંચે ત્યાંય મંદ કષાય રહે. દસમા ગુણસ્થાનક સુધી આવી દશા રહે છે. મોહનીયથી વિભાવમાં પડી જીવ ઘણું રખડે છે. અનાદિની વિભાવદશાને કારણે જીવને ઈંદ્રિય સુખની વાસના પ્રબળ હોય ત્યારે એક ઈંદ્રિયના વિષયમાં પાંચ ઈંદ્રિયના વિષયોને ભોગવી લે. અને પાંચેથી બંધાય તેવાં કર્મ જીવ એક જ ઈંદ્રિય દ્વારા ગ્રહણ કરે. મોહનીય કર્મની આ પ્રકૃતિ અભ્યાસ કરવા જેવી છે. દર્શનાવરણ ચોથેથી દૂર થતું જાય છે. મોહનીયનું આવરણ સંજ્વલનભાવે દસમે પહોંચે ત્યાં સુધી રહે છે. ક્ષાયિક સમ્યકત્વ પામે પછી બારમે શુકલધ્યાનને કારણે ઘાતીકર્મો નાશ પામે છે. આ કાળમાં આપણાં સાધનો, આપણા પ્રયત્નો ૧૨૨ Jain Education International For Private & Personal Use Only સ્વરૂપ અવલોકન www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy