SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ વેદનીયકર્મના ઉદયમાં ભયથી દોડાદોડ કરે તો તે પ્રકૃતિ કેવી રીતે વેદાય? ઔષધ વગેરે નિર્જરા થવામાં સહાયક નથી. સંયમભાવે આવા કર્મને ભોગવવાથી કર્મની પરંપરા બંધ થાય છે. તેમાં જ્ઞાની ગુરુજનોની સહાય મળે તો આત્મસંયમ દેઢ રહે. પીડાનો અનુભવ ભાવકર્મ છે. અંગોને ઈજા થવી, રોગ થવો, તે દ્રવ્ય કર્મ છે. શરીરની નબળાઈ એ મહારોગ નથી. તેમાં ઈદ્રિયની શિથિલતા આવે પરંતુ ભાવરોગ (વ્યાકુળતા) ભળે તો અશાતા વેદનીય વધે તેમાં મોહનીય ભળે. સંયમ અને નિયમનથી કર્મને પરિવર્તિત કરવું. એમ કરતાં શાતા અનુભવાશે, પરંતુ જો તે સમયે કષાય ઉત્થાન થશે તો ધર્મભાવનું પણ ઉત્થાન થઈ જશે. તેથી શાતાના સમયમાં તપાદિ વડે આત્મબળ કેળવવું. સમ્યગુકૃતની વારંવાર વિચારણા કરવી. કેવળ બાહ્ય સાધન કે ક્રિયાથી ધર્મ કરવાની પ્રક્રિયા વધી પડી છે. એવા સાધનના ત્યાગરૂપ સમ્યગૃજ્ઞાનનો અનુભવ જોઈએ. વિનય હોય તો આચાર આવે. અનશન તે આત્માનો પાકૃત સ્વભાવ છે. અને તે તપાચાર છે. સાધનોમાં અટવાઈને આત્માર્થને ગ્રહણ ન કરતાં પુદ્ગલમાં જ આનંદ માને તે અજ્ઞાન છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિએ પ્રભુ પાસે પ્રવજયા ગ્રહણ કરી. કાઉસગ્ગ ધ્યાને ઊભા છે. ઊંડાણમાં પડેલો મોહનો અંશ બળીને ભસ્મીભૂત ન થયો હોય તો કેવો જાગી ઊઠે છે? માર્ગે જતાં સુભટોના શબ્દો કાને પડયા કે, આ રાજર્ષિના પુત્રનું રાજ્ય પ્રધાનો પચાવી પાડ્યા છે અને મોહ જાગી ઊઠ્યો, ત્યાં દર્શનાવરણનું જોર આવી ગયું. અને વિચારવા લાગ્યા કે પુત્રને રાજ્ય પાછું અપાવું પછી દીક્ષા ગ્રહણ કરું. મહામોહનીયનો ઉદય થયો અને પછી તો જીવ રૌદ્રધ્યાનમાં સરી પડયો. ભાવથી યુધ્ધમાં મહાન હિંસાના કાર્યમાં પડયા. જ્ઞાન અને દર્શન ગુણો ઢંકાઈ ગયા. ધર્મધ્યાનથી ઊતરી સીધા રૌદ્રધ્યાનમાં સરી પડયા. ભાવ યુદ્ધમાં પણ તીવ્ર વેગ હતો. બધાં સાધનો ખૂટી પડયાં. માનસિક વેગથી લડયા. છેવટે કલ્પનાથી મુગટ ઉગામવા ગયા, ત્યાં શિર પર હાથ ગયો, અને લોચ સહિત શિરનો ખ્યાલ આવ્યો. વેગ હતો પણ હવે પ્રશ્ન થયો હું કોણ? કયાં છું? અને એ જ વેગ પ્રાયશ્ચિતમાં વળ્યો. સીધા ધર્મધ્યાનમાં આરૂઢ થઈ શુકલ ધ્યાનમાં પહોંચી ગયા. જેવા વેગથી ઊતર્યા હતા તેવા વેગથી ચઢયા. પ્રત્યક્ષ જ્ઞાનીનો આશ્રય હતો, સ્વરૂપનો ૧ ૨૧ સ્વરૂપ અવલોકન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy